ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન

પોલીસકર્મી અને તેમના પરિજનો આંદોલન પર છે. ગ્રેડ પેને લઈને પોલીસ પરિવારો સતત ત્રીજા દિવસે આંદોલન કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:36 PM

ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ છે. ત્યારે ત્રણ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસકર્મીઓના પરિવારજનો ધારણા પર બેઠા છે. તો સરકાર દ્વારા હજી પણ વાતચીત માટે બોલાવ્યા નથી. પોલીસ પરિવારો આ મુદ્દે હવે પાછી પાની કરે એમ નથી. સત્યાગ્રહ છાવણી ખાતે સિગ્નેચર બોર્ડ પણ લાવવામાં આવ્યુ છે. ત્યારે આ બોર્ડ પર ગ્રેડ-પેના વધારા માટે ધરણા પર બેઠેલા પોલીસકર્મીઓના પરિવારજનોએ સિગ્નેચર પણ કરી છે. સહી ઝુંબેશ કરાવીને આંદોલનને સમર્થન કરવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે સરકારે આ મામલો ઉકેલવા કમિટીની રચના કરી લીધી છે. તો બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની હતી. જેમાંગ્રેડ પે મુદ્દે ચર્ચા થવાની હતી.

ખાસ વાત છે કે પોલીસ કોન્સ્ટેબલના ‘ગ્રેડ પે’ને લઈને આજે પણ આંદોલન યથાવત છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ અને તેના પરિવારો તેમના મુદ્દાઓ નક્કી કરશે. અને પોલીસ ગ્રેડ પેના મુદ્દાઓ આજે લેખિતમાં સરકારને સોંપશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનોની મહિલાઓ આંદોલન પર ઉતરી હતી. અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે સમગ્ર મામલે ચર્ચા થઇ હતી. બેઠકમાં 6 મુદ્દાઓ પર ચર્ચા કરી તેને ઉકેલવા કમિટીની રચના કરવા જણાવ્યુ હતું. તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આશ્વાન આપ્યું હતું કે તમામ માગણીઓને વહેલી તકે ઉકેલવામાં આવશે. એવામાં પોલીસકર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

 

આ પણ વાંચો: નવસારી : જગતનો તાત વીજળી વગર લાચાર, કિસાન કોંગ્રેસની ખેડૂતોને વિજળી આપવા માગ

આ પણ વાંચો: વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર વચ્ચે બિલની રકમને લઈ વિવાદ, માત્ર કન્સલ્ટન્સીનું બિલ 20 કરોડ મુક્યું

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">