મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર મેદાને, પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડવા પણ તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટાચૂંટણી લડીશ.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે.
ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડવા પણ તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટાચૂંટણી લડીશ. આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપ સાથે તેમનો ખુલીને વિરોધ કરવાનું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે.
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
