Rajkot Video : જેતપુરના અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Rajkot Video : જેતપુરના અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

| Edited By: | Updated on: Mar 20, 2024 | 3:56 PM

રાજકોટના  ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે.

રાજ્યમાં કેટલીક વાર ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના  ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે. જેમાંથી
સ્વામિનારાયણ ગુરૂકુળના 30 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.

વિદ્યાર્થીઓને ગુરૂકુળ કેમ્પસમાં સારવાર આપવામાં આવી હતી. 30 જેટલા પ્રવાસીઓને પણ થઈ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તમામ લોકોને 108 મારફતે તમામ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ લોકોની તબિયત સુધારા પર જોવા મળે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો