નસવાડીની લિંડા આદિજાતિ શિક્ષણ સંકૂલના ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો

બપોરના ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી અને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. નિવાસી શાળામાં 1200 જેટલી વિદ્યાર્થિની રહે છે. વિદ્યાર્થિનીને ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:36 AM

CHHOTA UDEPUR : છોટાઉદેપુરમાં નસવાડીની લિંડા આદિજાતિ શિક્ષણ સંકૂલના ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો. બપોરના ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી અને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. નિવાસી શાળામાં 1200 જેટલી વિદ્યાર્થિની રહે છે. વિદ્યાર્થિનીને ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાનો આરોપ છે. વિદ્યાર્થિનીઓએ કેમેરા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. વિદ્યાર્થિનીનો આરોપ છે કે, આ એક દિવસ નથી કે તેમની થાળીમાં ઈયળ નીકળી છે. છેલ્લા ચાર દિવસથી આ ક્રમ ચાલું છે. આ અંગે રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી.

ભોજનમાં ઈયળ નીકળવા મુદ્દે સવાલ ઉઠ્યા છે કે, શું માતા-પિતાથી દૂર રહેતી બાળકીઓને આવું જ ભોજન આપવામાં આવે છે ? રસોઈ કરતી વખતે આટલી મોટી ઈયળ કેમ ન દેખાઈ ? શું અધિકારીઓને માસૂમ બાળકીઓના આ આંસુ દેખાશે ? બાળકીઓનું સ્વાસ્થ્ય ખરાબ થશે તો તેના માટે જવાબદાર કોણ ? અધિકારીઓ પોતાની AC ચેમ્બર છોડીને બાળકીઓ માટે સારી વ્યવસ્થા ગોઠવશે ? શું અધિકારીઓ અને નેતાઓ બાળકીઓ માટે બનેલું ભોજન જમશે ? તેમજ આટલી મોટી બેદરકારી બદલ જવાબદારો સામે પગલાં લેવાશે ? ઉલ્લેખનીય છે કે, આ બાળકીની જમવા અને રહેવાની વ્યવસ્થા ટ્રાયબલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

એટલું જ નહીં બાળકીઓનો આરોપ છે કે, તેમને વાલીઓને પણ મળવા દેવામાં આવતા નથી. નિવાસી શાળામાં મોટી સંખ્યામાં બાળકીઓ રહેતી હોવાથી વાલીઓ તેમને મળવા આવે છે. આરોપ છે કે, ગેટ પાસેથી જ વાલીઓને પરત મોકલી દેવામાં આવે છે. બીજી તરફ પ્રિન્સીપાલ હજુ પણ ભોજન બનાવનારા ઈજારેદારોને સૂચના આપી દીધી હોવાનું જણાવી રહ્યા છે. તેમજ વાલીઓને બાળકી સાથે મુલાકાતની કોઈ મનાઈ ન હોવાનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : BHAVNAGAR : ભાદેવાની શેરીમાં મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">