AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

Export from Gujarat : દેશના મુખ્ય 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લા જામનગર, સુરત, ભરૂચ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાનો સમાવેશ થયો છે.

ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ
Gujarat's achievement in the export sector
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:29 AM
Share

AHMEDABAD : દેશમાં ગુજરાતે વધુ એક સિદ્ધી મેળવી છે. દેશના ટોચના 12 નિકાસ કરતા જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાઓને સ્થાન મળ્યું છે. જેમાં જામનગર પ્રથમ સ્થાને અને સુરત બીજા સ્થાને છે. કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2021થી જિલ્લાવાર નિકાસનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં નિકાસ કરતા દેશના ટોચના 30 જિલ્લાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ટોચની 5 નિકાસ કોમોડિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માહિતી કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે રાજ્યસભામાં આપી હતી.

જામનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે સમગ્ર દેશમાં ગુજરાતનો જામનગર જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે. જામનગરમાંથી પેટ્રોલિયમ પેદાશો, કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, પ્લાસ્ટિક અને લિનોલિયમ, મીકા, કોલસો અને અન્ય ખનિજોની નિકાસ કરવામાં આવી હતી. 22100 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી હતી. જામનગરી બાંધણી અને પિત્તળની વસ્તુઓની નિકાસમાં પણ અવકાશ છે.

સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, માનવસર્જિત વાહનો/ફેબ્રિક્સ/મેડઅપ્સ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ, કોટન યાર્ન/રફબ્રિક્સ/મેડઅપ્સ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ સહિત 9696 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી હતી. સુરતમાંથી ટેક્સટાઈલ, કેળા, સુરત ઝરી ક્રાફ્ટ અને દાડમની પણ ઘણી નિકાસની સંભાવના છે. મુંબઈ, મુંબઈ ઉપનગર અને મહારાષ્ટ્રનું પૂણે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

ભરૂચ છઠ્ઠા ક્રમે ભરૂચ જિલ્લો દેશમાં છઠ્ઠા ક્રમે છે જ્યાંથી જૈવિક અને અકાર્બનિક રસાયણો, એન્જિનિયરિંગ માલ, પ્લાસ્ટિક અને લિનોલિયમ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ, કોટન યાર્ન/ફેબ્રિક્સ/મેડઅપ્સ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ અને અન્ય સહિત 4695 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી હતી.

અમદાવાદ આઠમા સ્થાને આ યાદીમાં અમદાવાદ 8માં સ્થાને છે. આ જિલ્લામાંથી 4439 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી હતી જેમાં દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, કોટન યાર્ન/ફેબ્રિક્સ/મેડઅપ્સ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ અને ચોખા અને અન્યનો સમાવેશ થાય છે.

દેવભૂમિ દ્વારકા 11માં ક્રમે જામનગરનો પડોશી દેવભૂમિ દ્વારકા જિલ્લો આ યાદીમાં 11મા ક્રમે છે. આ જિલ્લામાંથી નિકાસ થતી ટોચની પાંચ પ્રોડક્ટ્સમાં પેટ્રોલિયમ પેદાશો, કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દરિયાઈ ઉત્પાદનો, સિરામિક ઉત્પાદનો અને કાચનાં વાસણોનો સમાવેશ થાય છે. અહીંથી કુલ 3688 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લો સમગ્ર દેશમાં 12માં ક્રમે કચ્છ જિલ્લાને દેશમાં 12મા નિકાસ કરતા જિલ્લામાં સ્થાન મળ્યું છે. એન્જિનિયરિંગ સામાન, કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, ચોખા, કોટન યાર્ન/ફેબ્રિક્સ/મેડ-અપ્સ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ અને મીકા, કોલસો અને અન્ય ખનિજોની અહીંથી નિકાસ કરવામાં આવી હતી. જિલ્લામાંથી 3448 કરોડનો માલ નિકાસ કરવામાં આવ્યો હતો. આ જિલ્લામાંથી દરિયાઈ ચીજવસ્તુઓ, એરંડા, કચ્છી શાલ, ભરતકામ, કેરીની નિકાસની પુષ્કળ સંભાવનાઓ છે. આ ઉપરાંત ગુજરાતનો વડોદરા જિલ્લો 22માં અને વલસાડ જિલ્લો 23માં ક્રમે છે.

આ પણ વાંચો : AHMEDABAD : સિંગાપોરની એક પ્રાઈવેટ કંપની બનાવશે શહેરનો ડ્રેનેજ ગુગલ મેપ

આ પણ વાંચો : AHMEDABAD : બ્રાંડ ફેક્ટરીએ ગ્રાહક સુરક્ષા કોર્ટના આદેશને પણ નકાર્યો, થશે મોટી કાર્યવાહી?, જાણો શું છે સમગ્ર મામલો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">