Banaskantha : ભૂવાઓનું તૂત ઠેકાણે પડી ગયુ, અંધશ્રદ્ધાની આડમાં ગોલા ગામના પરિવાર પાસેથી પડાવેલા લાખો રુપિયા પરત કર્યા

Banaskantha news : હવે ભૂવાઓનો રુપિયા લેતો વીડિયો વાયરલ થયા બાદ તેમણે આ પરિવારની માફી માગી લીધી છે અને પરિવારને તેમના તમામ 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 1:14 PM

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલા ગામે ભુવાએ એક પરિવાર પાસેથી અંધશ્રદ્ધાની આડમાં લીધેલા લાખો રુપિયા પરત કરી દીધા છે. બે ભાઈઓ પાસેથી આ ભૂવાએ રુપિયા 36.10 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના પડાવ્યા હતા. જો કે ભૂવાઓનો રુપિયા લેતો વીડિયો વાયરલ થતા ભૂવાએ માફી માગી રૂપિયા બંને ભાઇઓને પરત આપ્યા છે. ભૂવાએ 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં એક પરિવારના લાખો રૂપિયા લૂંટાઈ ગયા હોવાનું સામે આવ્યું હતુ. દુઃખ દૂર કરવાના બહારને 5 ભૂવાઓએ એક પરિવાર સાથે છેતરપિંડી આચરી હતી. પરિવારને જ્યારે છેતરાયાનો અહેસાસ થયો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. જોકે રૂપિયા પરત મેળવવા માટે હવે પરિવારે પોલીસની મદદ લીધી. ત્યારે હવે ભૂવાઓનો રુપિયા લેતો વીડિયો વાયરલ થયા બાદ તેમણે આ પરિવારની માફી માગી લીધી છે અને પરિવારને તેમના તમામ 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત કર્યા છે.

પરિવારે પોલીસમાં કરી હતી ફરિયાદ

મળતી માહિતી પ્રમાણે, પારિવારિક પ્રશ્નોથી કંટાળેલા પરિવારના બે ભાઈઓએ 5 ભૂવા બોલાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, 82 વર્ષ અગાઉ તેમના ઘરે માતા મૂકી હોવાથી ચેહર માતાની બાધા રાખવી પડશે. ભૂવાની વાતોમાં આવેલા પરિવારને થોડા સમય માટે સારું થઈ જતાં ભોળવાઈ ગયો હતો. જેથી પરિવારના બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ઉછીના લાવીને 5 ભૂવાને આપ્યા હતા. સાથે 1.70 લાખની ચાંદીની પાટો પણ આપી હતી. પરિવારે તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. છેતરપિંડીનો આભાસ થતા પરિવારે 5 ભૂવા વિરૂદ્ધ ધાનેરા પોલીસને અરજી આપી હતી.

મહત્વનું છે કે આધુનિક સમયમાં લોકો અંધશ્રદ્ધાથી દૂર રહેવાની વાતો તો ખૂબ કરતા જોવા મળે છે. પરંતુ પરિવારમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે વિશ્વાસ, મહેનત અને શ્રદ્ધાથી કામ લેવાની જગ્યાએ અંધશ્રદ્ધા પર વિશ્વાસ મૂકે છે. જેના કારણે એક સુખી-સંપન્ન પરિવારને પણ દુઃખમાં ધકેલાવાનો વારો આવે છે.

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">