Dwarka News : સિગ્નેચર બ્રિજ હવે ઓળખાશે સુદર્શન સેતુના નામે, Videoમાં જુઓ સંપૂર્ણ વિગત
દ્વારકામાં બનાવામાં આવેલા બ્રિજને હવે સુદર્શન સેતુ બ્રિજના નામે ઓળખવામાં આવશે. લોકાર્પણ પહેલા સુદર્શન ચક્ર બેટ દ્વારકા ખાતે મોકલવામાં આવ્યુ છે. તેમજ બ્રિજના પાર્કિંગ પાસે આ સુદર્શન ચક્ર રાખવામાં આવશે.
દ્વારકામાં બનાવામાં આવેલા બ્રિજને હવે સુદર્શન સેતુ બ્રિજના નામે ઓળખવામાં આવશે. લોકાર્પણ પહેલા સુદર્શન ચક્ર બેટ દ્વારકા ખાતે મોકલવામાં આવ્યુ છે. તેમજ બ્રિજના પાર્કિંગ પાસે આ સુદર્શન ચક્ર રાખવામાં આવશે. તેમજ આ સુદર્શન બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી રવિવારે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
શું છે આ બ્રિજની વિશેષતા
આ બ્રિજ 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલ સ્ટેયડ છે. તેમજ ઓખા તરફ વાહન પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બ્રિજની પહોળાઇ 27.20 મીટર છે. તેમજ બ્રિજની બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર મોરપીંછની કોતરણી કરવામાં આવી છે. બ્રિજના 12 લોકેશન પર વ્યૂ ગેલેરી બનાવામાં આવી છે. બ્રિજની બંને બાજુ ફૂટપાથ પાસે શ્લોકો લખવામાં આવ્યા છે. હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ગીતાના શ્લોક લખાયા છે. ફૂટપાથના ઉપરના ભાગે સોલાર પેનલો લગાવાઈ છે. સોલાર પેનલમાંથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.
