AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં વધી ચિંતા, તલ, અડદ, મગ અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ

Gujarati Video: કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં વધી ચિંતા, તલ, અડદ, મગ અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:42 PM
Share

રાજ્યમાં એક બાદ એક પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે દુશ્મન બન્યો છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ કુદરતી આફત જેણે ખેડૂતોની એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઊભી કરી છે. જેને લઈ કૃષિ નિષ્ણાતોએ એક્સપર્ટની સલાહ લઈ વાવણી કરવા અપીલ કરી છે.

Rajkot: ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તુટે એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. રવી પાક અને ઉનાળુ પાક પર કમોસમી વરસાદ કેર બનીને તૂટી પડ્યો. જેને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ઉનાળામાં પડેલા કમોસમી વરસાદે તલ, અડદ, મગ અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન પહોચાડ્યું છે. એક તરફ બિયારણ, ખાતર અને દવાના ભાવ વધી રહ્યા છે, બીજી તરફ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો : રાજકોટમાં સ્ટ્રેચરનો ‘ભગવો’ રંગ બન્યો વિવાદનું કારણ, કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર આરોપ-પ્રત્યારોપ

કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગોતરું વાવેતર કરતા પહેલા ખેડૂતોએ કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. જેથી વાવેતર અને ખેડ કેવી રીતે કરવી, તેમજ કયા પાકમાં કયા ખાતરથી વધુ ઉત્પાદન મેળવી શકાય, તેનું માર્ગદર્શન મળી રહે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">