Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વોક-વે કરાયો બંધ, શ્રદ્ધાળુઓને હાલ દર્શન માટે ન આવવા અપીલ

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વોક-વે કરાયો બંધ, શ્રદ્ધાળુઓને હાલ દર્શન માટે ન આવવા અપીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:24 AM

Gir Somnath: બિપરજોય વાવાઝોડાને પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને દર્શન માટે ન આવવા અપીલ કરાઈ છે. વાવાઝોડાના ખતરાને જોતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટે દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઇ સોમનાથ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. સોમનાથ દાદાના દર્શન કરવા ન આવવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. ભક્તોને કોઇ તકલીફ ન થયા તે માટે મંદિર ટ્રસ્ટે ભક્તો માટે દર્શન બંધ કર્યા છે. સાથે સાથે બિપોરજોય વાવાઝોડાને ધ્યાન રાખી સોમનાથમાં વોક વે પણ બંધ કરાયો છે. સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને PGVCL એલર્ટ, સૌરાષ્ટ્રમાં 11 હજારથી વધુ કર્મચારીઓ સ્ટેન્ડ ટુ, જુઓ Video

જિલ્લા વહીવટીતંત્રની બેદરકારી આવી સામે

આ તરફ ગીરસોમનાથ જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વેરાવળ સોમનાથના દરિયા પર સહેલાણીઓ ફરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામા છતા સહેલાણીઓ દરિયાકિનારે ફરી રહ્ય છે. વેરાવળ સોમનાથના દરિયાના મોજા નજીક બેસી લોકો નજારો માણતા જોવા મળ્યા હતા.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">