Cyclone Biporjoy: કચ્છમાં જિલ્લાના 10 પૈકી 7 તાલુકા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત, 35 હજારથી વધુ લોકોનુ કરાયુ સ્થળાંતર

Kutch: કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં 10 પૈકી 7 તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત છે. જેમા અબડાસાના 19, ભચાઉના 17, અંજારના 8, ગાંધીધામના 7, માંડવીના 19, મુન્દ્રાના 15 અને લખપતના 35 ગામો અસરગ્રસ્ત છે. દરિયાકાંઠાથી 0 થી 5 કિલોમીટરના વિસ્તારના 72 ગામો જ્યારે 5 થી 10 કિલોમીટરના વિસ્તારના 48 ગામો મળી કુલ 120 ગામો અસરગ્રસ્ત છે.

Jay Dave
| Edited By: | Updated on: Jun 14, 2023 | 11:48 PM

Kutch: બિપરજોય વાવાઝોડા (Biporjoy Cyclone) ને લઈને કચ્છ જિલ્લા તંત્ર સાબદુ બન્યુ છે. તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લાના 10 પૈકી 7 તાલુકા વાવાઝોડાથી અસરગ્રસ્ત છે. આ સાત તાલુકાના કુલ 120 ગામો અસરગ્રસ્ત છે. જે પૈકી 35 હજાર 822 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે હજુ 43,625 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

બિપર જોય વાવાઝોડા અંગે કચ્છ જિલ્લાની માહિતી

  • કુલ 10 તાલુકા પૈકી 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત
  • અબડાસા 19, ભચાઉ 17, અંજાર 8 , ગાંધીધામ 7, માંડવી 19, મુન્દ્રા 15, લખપત 35
  • દરિયાકાંઠાથી 0 થી 5 કિમી વિસ્તારના 72 ગામો તથા 5 થી 10 કિમી વિસ્તારના 48 ગામો કુલ 120 ગામો
  • સ્થળાંતર કરવાપાત્ર વસ્તી 43,625
  • સ્થળાંતર કરાવેલ વસ્તી – 35,822
  • બાકી 7803 સ્થળાંતર કરવામાં આવશે
  • મીઠા અગરોમાં કામ કરતા 4509 અગરીયાઓનું સ્થળાંતર
  • 270 સગર્ભા મહિલાઓને પી.એચ.સી/સી.એચ.સી.ખાતે મેડીકલ ટીમ મારફતે સ્થાળાંતર કરેલ છે.

આશ્રયસ્થાનો

આશ્રયસ્થાનોમાં લાઈટ, પાણી, ફુડ પેકેટ જનરેટર તેમજ 1070 ઈન્વર્ટર બલ્બ અને 400 હેન્ડ ટોર્ય તથા 50 જનરેટર સેટની વ્યવસ્થા

પશુધન

અબડાસા તેમજ લખપતના સૌથી ઝોખમ ધરાવતા વિસ્તારના 17,887 પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે

પીજીવીસીએલ

  • 32000 વીજપોલ રિઝર્વ
  • જનરેટર – 06
  • 43 વિહિકલ તૈયાર રાખેલ છે.
  • 125 રીસ્ટોરેશન ટીમ બનાવેલ છે.
  • 12,600 થાંભલાઓ તાલુકાઓમાં પહોંચાડી દેવાયા છે.
  • ભુજ, નખત્રાણા અને માંડવીના સ્ટોર ખાતે માલ-સામાનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરેલ છે.

કોમ્યુનીકેશન

  • 4 સેટેલાઈટ ફોનની વ્યવસ્થા.
  • તેમજ મોબાઈલ ટાવરના જનરેટર માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવેલ છે – ભુજ, નલીયા અને નખત્રાણા ખાતે ૩ હેમ રેડીયો ઉપલબ્ધ કરાવેલ છે.
  •  માતાના મઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખેલ છે, પૂજા-અર્ચના અર્થે
    મંદિર ચાલુ રાખવામાં આવેલ છે.
  • કોટેશ્વર મંદિર તેમજ તેની બજારો બંધ રાખવામાં આવેલ છે.
  • ફૂડપેકેટ
  • 1,25,000 ફૂડપેકેટ તૈયાર કરવામાં આવેલ છે. તે પૈકી 86,000
    ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવેલ છે.
  • દુધ સાગર ડેરી મારફતે લાંબા સમય સુધી ન બગડે તેવા 5000 લીટર
    દુધ તથા 2000 કિલો દૂધ પાવડરની વિવિધ શેલ્ટર હોમ ખાતે વ્યવસ્થા

આરોગ્ય

69 પી.એચ.સી.- 3 એસ.ડી.એય , 16 સી.એચ.સી, બનાવેલ છે. અન્ય જીલ્લામાંથી 20 મેડીકલ ઑફીસર તેહનાત કરવામાં આવેલ છે

90 ડૉકટર ની વ્યવસ્થા,

1874 બેડની વ્યવસ્થા

175 એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા

બેનર હોર્ડીંગસ – 308 ઉતારેલ છે.

વૃક્ષો

નગરપાલીકા,વન વિભાગ,માર્ગ અને મકાન વિભાગ ના સહયોગ થી નડતરરૂપ 275 વૃક્ષોનું ટ્રીમીંગ કરેલ. વૃક્ષોના ટ્રીમીંગ માટે પર ટીમો બનાવેલ છે.

પાણી પુરવઠા

87 પીવાના પાણીના ટેંકર અને 9 ડીવોટરીંગ પંપ ની વ્યવસ્થા,

56 ટેન્કર આશ્રયસ્થાન પર

35 ટેંકર અસરગ્રસ્ત ગામો ખાતે પહોંચાડવામાં આવ્યા

47 જનરેટર સેટ હેડ-વર્ક્સ ખાતે રાખવામાં આવ્યા

રાહત બચાવ માટે

  • NDRF ટીમ: 4 ટીમ (ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ)
  • SDRF ટીમ: 2 ટીમ (નારાયણ સરોવર, નલીયા)
  • RPF ટીમ: 4 ટીમ (ગાંધીધામ, મુંદ્રા, નલીયા)
  • 8 કોલમ આર્મી ટીમ
  • ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો
  • 4 ફાયર ટીમ (લખપત, અબડાસા, માંડવી, ભુજ)

આ પણ વાંચો : Kutch : જિલ્લામાં વહીવટી તંત્ર રેસ્ક્યુ કામગીર માટે સજ્જ, મનસુખ માંડવિયાએ એરફોર્સ સ્ટેશન અને હોસ્પિટલની તૈયારી અંગે કરી સમીક્ષા, જુઓ Video

રાહત અને બચાવ માટે વિવિધ વાહનો માર્ગ અને મકાન વિભાગ

  • 87 ડમ્પર, 300 ટ્રેક્ટર તથા 29 જે.સી.બી., 61 ટ્રક, 7 લોડર વિવિધ કચેરી વિભાગો દ્વારા સ્ટેન્ડબાય
  • માર્ગો પરથી વૃક્ષો હટાવવા તથા રોડ ક્લીયરન્સ માટે 50 ટીમ
  • 46 એસ.ટી. બસ સ્થળાંતર માટે ફાળવાઈ

 

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
g clip-path="url(#clip0_868_265)">