AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારામારીના કેસમાં કોર્ટે દેવાયત ખવડને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યો, તપાસમાં સહયોગ ન કરતો હોવાનો પોલીસનો દાવો

મારામારીના કેસમાં કોર્ટે દેવાયત ખવડને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યો, તપાસમાં સહયોગ ન કરતો હોવાનો પોલીસનો દાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 7:10 PM
Share

Rajkot: રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર મારામારીના કેસમાં દેવાયત ખવડને આજે કોર્ટમાં રજૂ કરવમાં આવ્યો હતો. પોલીસે ખવડના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટમાં ગત 7 તારીખના રોજ લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરેલી મારામારીના કેસમાં પોલીસે આજે દેવાયત ખવડ અને તેના બે સાગરીતોને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે દેવાયત ખવડ સહિત તેના બંને સાગરિતોના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યુ હતુ કે ગુનો નોંધાયા બાદ 9 દિવસ સુધી તે ક્યાં હતો, તેને કોણે આશ્રય આપ્યો તે અંગેની તપાસ કરવા પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેને લઈને કોર્ટે ત્રણેય આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેવાયતના વકીલે દાવો કર્યો કે દેવાયત સામે લાગેલી 307ની કલમ ખોટી લગાવવામાં આવી છે. તો બીજી તરફ બચાવ પક્ષના વકીલે કહ્યુ કે કોર્ટ અત્યારે માત્ર દેવાયત ખવડના હુમલાની તપાસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે. ચાર્જશીટ દાખલ થાય ત્યારબાદ જ ખબર પડશે કે દેવાયત પર 307ની કલમ લાગુ પડે છે કે કેમ?

મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવાનો કેસ

ગત 7 તારીખના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો, જેમા મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતો. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ 9 દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.

g clip-path="url(#clip0_868_265)">