રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કવિ સંમેલનમાં ગાંધી વિરોધી કવિતાના પઠનથી વિવાદ, કુલપતિએ આપ્યા તપાસના આદેશ

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજીત થયેલા કાવ્ય મહાકુંભમાં ગાંધીજી વિરોધી કવિતાનું પઠન કરવામામં આવતા વિવાદ થયો છે. મધ્યપ્રદેશના કવિએ ગાંધીજીની ગરીમાને નુકસાન પહોંચાડતી કવિતાનું પઠન કરતા આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 5:09 PM

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં જ ગાંધીજીને અપમાનિત કરતી કવિતાનું પઠન કરવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ(Rajkot)માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં આયોજિત કાવ્ય મહાકુંભમાં ગાંધીજી વિરોધી કવિતા(Anti-Gandhi Poem)ના પઠનનો વિવાદ સામે આવ્યો છે. ગાંધીજીની ગરીમા ન જાળવીને કવિએ ગાંધીજીને અપમાનિત કરતી કવિતાનું પઠન કર્યુ. મધ્યપ્રદેશના દેવાસના કવિ દેવકૃષ્ણ વ્યાસે રજૂ કરેલી રચનામાં ગાંધીજીને લઈને અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. જેમા ગુજરાતમાં આયોજિત અખંડ કાવ્ય મહાકુંભમાં આવેલા મહેમાને ગાંધીજીનું અપમાન સહન કરતા ગાંધીપ્રેમીઓનુ લાગણી દુભાઈ છે. આ અંગે કોંગ્રેસના નેતા નિદત બારોટે કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે તો કવિતાને સુંદર બનાવનારા ગુલાબદાસ બ્રોકર ચેરના કો-ઓર્ડિનેટર મનોજ જોષીનું રાજીનામુ લેવાની પણ માગ કરી છે.

વિવાદી કવિતા મુદ્દે ગરમાઈ રાજનીતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યુ કે મહાત્મા ગાંધી અંગે અપમાનજનક શબ્દો બોલ્યા તે અંગે પૂર્ણ તપાસ કરવામાં આવશે. જો કોઈ દોષી સાબિત થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચોક્કસથી કડક કાર્યવાહી કરશે. મઘ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસે આઝાદી અને ગાંધીજીને લઈને વાંચેલી કવિતામાં, ” હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી” સહિત ” આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે સહિતના વિવાદાસ્પદ શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.”

આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના એ કવિએ તેમના કાવ્યમાં દેશના ભાગલા માટે પણ ગાંધીજીને જવાબદાર ગણાવ્યા હતા. હાલ આ કવિતાને લઈને રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">