ગુજરાતના CNG ડીલર્સ આજે નોંધાવશે વિરોધ, ડીલર માર્જિન વધારાની માંગ

સીએનજી ડીલર માર્જિનમાં ગત પહેલી જુલાઈ 2019ના રોજ 80 પૈસાનો વધારો કરવાનું નક્કી કરાયું હતું.. પરંતુ ત્યારબાદ આ મુદ્દો જ ધ્યાનમાં નથી લેવાયો.. જેના કારણે સીએનજી પંપ માલિકોએ આજે બપોરે 1થી 3 વાગ્યા સુધી હડતાળનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 1:18 PM

ગુજરાતના(Gujarat)  1200 સીએનજી  ડીલર્સ(CNG Dealers)  આજે વિરોધ નોંધાવશે. જેમાં 30 મહિના બાદ પણ ડીલર માર્જિનમાં(Margin)  વધારો ન થતા બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી પંપ બંધ રહેશે.. સીએનજી ડીલર માર્જિનમાં ગત પહેલી જુલાઈ 2019ના રોજ 80 પૈસાનો વધારો કરવાનું નક્કી કરાયું હતું.. પરંતુ ત્યારબાદ આ મુદ્દો જ ધ્યાનમાં નથી લેવાયો.. જેના કારણે સીએનજી પંપ માલિકોએ આજે બપોરે 1થી 3 વાગ્યા સુધી હડતાળનો નિર્ણય લીધો છે..ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે- સીએનજી ડીલર્સની સીએનજી ગેસનું માર્જિન 1.70 રૂપિયામાંથી 2.50 રૂપિયા કરવાની માંગ છે.

આ દરમિયાન ઓઇલ કંપનીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કમિશન માર્જિન વધારી આપવામાં આવશે. આ ખાતરી મળ્યા બાદ ઓઇલ કંપનીઓ પોતાનું વચન ભૂલી ગઈ હતી અને આ જ દિવસે સુધી આ કમિશન વધારી આપવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી આથી અંતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા આવતીકાલે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે 3 વર્ષ થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે. જેનું નિરાકરણ નહીં આવતા 17 ફેબ્રુઆરીને ગુરુવારે ગુજરાતના તમામ 1200 સીએનજી પમ્પ બપોરે 1 થી 3 વાગ્યા સુધી સીએનજીનું વેચાણ બંધ રાખશે. અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે. અમે આ અંગેની જાણ ત્રણેય ઓઇલ કંપનીને કરી આપેલ છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં ભડકો, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">