AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કરોડોની રેલવેની જમીન પર તંત્રનું બુલડોઝર ફરશે, જામનગરમાં વર્ષો જૂના દબાણો પર અંતિમ ઘા, જુઓ Video

Breaking News : કરોડોની રેલવેની જમીન પર તંત્રનું બુલડોઝર ફરશે, જામનગરમાં વર્ષો જૂના દબાણો પર અંતિમ ઘા, જુઓ Video

| Updated on: Feb 06, 2026 | 10:24 AM
Share

જામનગરમાં રેલ્વેની કરોડો રૂપિયાની કિંમતી જમીન પરના વર્ષો જૂના દબાણો હટાવવા મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. દિગજામ સર્કલ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહી ડબલ ટ્રેકના કામ માટે મહત્વપૂર્ણ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્ટાફ હાજર છે, સાંજ સુધીમાં તમામ દબાણો દૂર થવાની સંભાવના છે.

જામનગર શહેરમાં રેલવેની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા એક વિશાળ પાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના દિગજામ સર્કલ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહી રેલ્વેના મહત્વપૂર્ણ ડબલ ટ્રેક પ્રોજેક્ટ માટે અત્યંત જરૂરી બની હતી.

રેલ્વે જમીન પર લાંબા સમયથી અતિક્રમણ કરીને ઉભા કરાયેલા બાંધકામો વિકાસના કામમાં અડચણરૂપ બનતા હતા. જેને પગલે આજે વહેલી સવારથી જ તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું છે. બુલડોઝર, જેસીબી સહિતના ભારે સાધનો દ્વારા દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ મેગા ઓપરેશન દરમિયાન કોઈ અણચાહેલી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસનો વિશાળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ત્રણેય ડિવિઝનનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.

રેલ્વે વિભાગ માટે ડબલ ટ્રેકનું કામ ઝડપથી પૂર્ણ કરવું અતિ આવશ્યક હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણો દૂર થયા બાદ વિકાસ કાર્યને નવી ગતિ મળશે અને ભવિષ્યમાં ટ્રેન વ્યવહાર વધુ સુગમ બનશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન અને જાહેર સંપત્તિ પર થયેલા ગેરકાયદેસર અતિક્રમણો સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષોથી ઓળખાયા વગર રહી ગયેલા અથવા રાજકીય-પ્રશાસકીય સંકોચને કારણે ન હટાવવામાં આવેલા દબાણોને હવે એક પછી એક દૂર કરવામાં આવી રહ્યા છે.

જામનગરની આ કાર્યવાહી પણ એ જ સંદેશ આપે છે કે વિકાસ કાર્યોમાં અડચણરૂપ બને તેવા દબાણો સામે તંત્ર હવે કોઈ ઢીલાશ રાખવાના મૂડમાં નથી. સરકારી જમીનનો યોગ્ય અને જનહિતમાં ઉપયોગ થાય એ દિશામાં આ ડિમોલિશન ડ્રાઇવને મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો, 45,000 ચોરસ મીટર જમીન પર સરકારનો કબ્જો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">