Breaking News : પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલા મામલે 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હુમલાખોરે લાકડી, ધારીયા સહિતના હથિયારો સાથે પોલીસ પર હુમલો કર્યો હતો. ગૌહત્યાની તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

| Edited By: | Updated on: Feb 27, 2026 | 11:51 AM

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌવંશને બચાવવા પહોંચેલી પોલીસ અને ગૌરક્ષકો પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. આરોપીઓએ પોલીસ ટીમ અને ગૌરક્ષક પર હિચકારો હુમલો કરતાં ગૌરક્ષકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જ્યારે એક પોલીસ જવાનને હાથમાં ઈજા થઈ હતી. ઘટનાના પગલે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 7 PI અને 15 PSI સહિત મોટી પોલીસ ટીમે કોમ્બિંગ હાથ ધરી શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. કાયદો-વ્યવસ્થાને પડકારતી આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી.

 

 

22 શકમંદોની અટકાયત

સુરતના માંગરોળના હથોડા ગામે પોલીસ પર હુમલાનો મામલે કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સુરત જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 22 શકમંદોની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે,ગૌહત્યાની તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો થયો હતો.હુમલાખોરોએ લાકડી, ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.જિલ્લામાં ગૌહત્યાના અસંખ્ય બનાવ છતાં તંત્રની ઢીલી કામગીરીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે અહી ક્લિક કરો