રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને આજે મહત્વનો દિવસ છે.આજે ફોર્મ ચકાસણી કરવામાં આવશે,રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે. 18 વોર્ડની 72 બેઠકો માટે 554 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર પણ સામે આવ્યા હતા.રાજકોટમાં ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવાર બદલ્યા છે.વોર્ડ નં 7માં ઉમેદવાર બદલતા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.
પ્રીતિબેન ગોહિલને ફોર્મ ભરવાની સૂચના બાદ હંસાબેન ગુજરીયાને મેન્ડેટ આપ્યું હતુ. ભાજપે નેહલ શુક્લને ટીકીટ આપતા સમીકરણો બદલાયા છે.કોંગ્રેસમાં નિલેશભાઈ ગોહિલ છેલ્લા 30 વર્ષ થી કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યા છે. ત્યારે નિલેશભાઈ ગોહિલે કહ્યું, ટીકીટ કપાતા હું કોંગ્રેસમાંથી રાજીનામુ આપું છું. અમને પ્રચાર શરૂ કરવાની સૂચના આપી અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા છે.
મતદાન માટે 26 એપ્રિલ, 2026, રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં મત આપ્યા બાદ હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.
મતદારોની વાત કરીએ તો, નવી મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 4,18,91,000 મતદારો નોંધાયેલા છે. તેમાં 2,16,70,000 પુરુષ, 2,02,72,000 સ્ત્રી અને 965 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.