Breaking News : ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્ય બાબુ જમના પટેલે કોને જવાબદાર ઠેરવ્યા, જુઓ Video

| Updated on: Jan 26, 2026 | 10:30 PM

અમદાવાદના ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં ચાર વર્ષના વિલંબથી ખેડૂતોને ભારે હાલાકી પડી છે. ધારાસભ્ય બાબુ જમના પટેલે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવ્યા છે અને સિંચાઈ વિભાગ દ્વારા અચાનક પાણી છોડવાના કારણે બારસો કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો હોવાનું જણાવ્યું છે. સમયસર કામગીરી પૂર્ણ ન થવાથી ખેડૂતોના મોંઢે આવેલો કોળીયો છીનવાયો છે.

અમદાવાદમાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચઢવાનો મુદ્દો ચર્ચામાં છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય બાબુ જમના પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના મોંઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થવાનો હતો પરંતુ ચાર વર્ષ રાહ જોયા છતાં કેનાલનું કામ પૂર્ણ થયું નથી. ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર પર કામગીરીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે.

ધારાસભ્ય બાબુ જમના પટેલે વધુમાં કહ્યું કે તેમણે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં કરી છે અને જો સમયસર કામ પૂર્ણ થયું હોત તો આજે આ વિવાદ ઊભો ન થાત. તેમની રજૂઆત બાદ સિંચાઈ વિભાગે અચાનક પાણી છોડ્યું, જેના પરિણામે બારસો કરોડનો આ પ્રોજેક્ટ ખોરંભાઈ ગયો. બાબુ જમના  પટેલે ભારપૂર્વક જણાવ્યું કે સમય મર્યાદામાં કામગીરી પૂરી ન થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, અન્યથા ખેડૂતોને પાણી મળતું રહેત.

Breaking News : છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Jan 26, 2026 10:30 PM