હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા, જુઓ Video
બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે.
Kheda : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ (Salangpur Temple Controversy) સતત ઉગ્ર બની રહ્યો છે. આ મુદ્દે વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા છે અને કહ્યું કે માણસના રૂપમાં એક અસુરે મહારાજનું અપમાન કર્યું છે.
બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે. કારણ કે સાળંગપુર સ્વામીનારાયણના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
