Surat : ભાજપ યુવા મોરચા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું સોમવારે સમાપન થશે
ભાજપના સ્થાપન દિવસ 6 એપ્રિલે અમદાવાદથી શરૂ થયેલી યાત્રા રાજ્યના અલગ-અલગ શહેરમાં કુલ 3500 કિલોમીટર ફરીને સુરત પહોંચશે અને ગજેરા કંમ્પાઉન્ડમાં આ યાત્રાનું સમાપન થશે.
ભાજપ ( BJP) યુવા મોરચા દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav) યાત્રાનું 25 એપ્રિલે સુરતમાં(Surat) સમાપન થશે. સમાપન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભાજપના સાંસદ અને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સહિતના નેતાઓહાજર રહેશે. ભાજપનો દાવો છે કે સુરત પહોંચતી આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે.. નોંધનિય છે કે, 6 એપ્રિલે અમદાવાદથી શરૂ થયેલી યાત્રા રાજ્યના અલગ-અલગ શહેરમાં કુલ 3500 કિલોમીટર ફરીને સુરત પહોંચશે અને ગજેરા કંમ્પાઉન્ડમાં સમાપન થશે.
આ યાત્રાને અમદાવાદથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ યાત્રામાં 80 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ અંગે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે પદયાત્રામાં સ્વતંત્રતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને લગતા વિષયો પર એક ઝાંખી હશે. બાપુનગરના સ્ટેડિયમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પાર્ટીના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા 6 એપ્રિલના રોજ તેને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
યાત્રાના આ 20 દિવસ દરમિયાન રાજ્યભરમાં 150 જેટલી જાહેર સભાઓ યોજવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરો ઉપરાંત, યુવા પાંખના કાર્યકરો આઝાદી પછી ફરજની લાઇનમાં માર્યા ગયેલા સૈનિકોના ઘર તેમજ કોવિડ-19 સામે લડતા મૃત્યુ પામેલા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સના ઘરની મુલાકાત પણ લેવામાં આવી હતી.
આ પણ વાંચો : Rajkot : ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે મુલાકાત લીધી
આ પણ વાંચો : Ahmedabad : ગરમીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ, ઠંડા-પીણાનું વિતરણ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
