ભાવનગરવાસીઓ તૈયાર થઈ જાઓ! આઠ મહિનાની હાલાકીનો આવ્યો સુખદ અંત, કાલથી મુંબઈની સફર થશે ‘સુપરફાસ્ટ’

ભાવનગરવાસીઓ તૈયાર થઈ જાઓ! આઠ મહિનાની હાલાકીનો આવ્યો સુખદ અંત, કાલથી મુંબઈની સફર થશે ‘સુપરફાસ્ટ’

| Edited By: | Updated on: Mar 28, 2026 | 7:07 PM

ભાવનગરવાસીઓ માટે લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને હવે મુંબઈની સફર ફરી એકવાર પાંખો ભરી રહી છે. છેલ્લા 8 મહિનાથી બંધ પડેલી ભાવનગર-નવી મુંબઈ હવાઈ સેવા આવતીકાલથી પુનઃ શરૂ થવા જઈ રહી છે.

ભાવનગરવાસીઓ માટે હવે લાંબી રાહનો અંત આવ્યો છે. છેલ્લા 8 મહિનાથી બંધ પડેલી ભાવનગર-નવી મુંબઈ હવાઈ સેવા આવતીકાલથી ફરી ધમધમતી થશે. રવિવાર, 29 માર્ચથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર નિયમિત ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે, જેનો પ્રારંભ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ‘કે. આર. નાયડુ’ના હસ્તે કરાવવામાં આવશે.

આવતીકાલે સવારે ફ્લેગ ઓફ કરવામાં આવશે

આવતીકાલે સવારે 8:30 કલાકે ભાવનગર એરપોર્ટ પર આ સેવાનું ભવ્ય ફ્લેગ ઓફ કરવામાં આવશે. સવારે 8:35 મિનિટે પ્રથમ ફ્લાઇટ ભાવનગરથી નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી સહિતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહેશે.

હવાઈ કનેક્ટિવિટીના અભાવે છેલ્લા 8 મહિનાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. હવે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસની બે ટ્રિપનું સંચાલન કરવામાં આવશે. આ નવી કનેક્ટિવિટીથી માત્ર મુંબઈ જ નહીં પરંતુ નવી મુંબઈ મારફતે દેશના બીજા મોટા શહેરોમાં જવું પણ સરળ બનશે.

વેપાર-ધંધાને ‘મોટો ફાયદો’

સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના સતત પ્રયાસો બાદ શરૂ થઈ રહેલી આ સેવાને કારણે ભાવનગરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને બીજા વેપાર-ધંધાને મોટો ફાયદો થશે. એરપોર્ટ ઓથોરિટીએ આજે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાની માહિતી આપી હતી.

ભાજપના નેતાનો ભાઈ એટલે કાયદાથી ઉપર? રિવોલ્વર અને ધારિયા સાથે સિક્યુરિટી જવાન પર હુમલો કર્યો, ખાખી કેમ કઈ ના કરી શકી? – જુઓ Video

Published on: Mar 28, 2026 06:58 PM
Follow Us