Bharuch : નર્મદાના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો, રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અભિયાન ચલાવાશે

આજે વહેલી સવારથી સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સપાટી ૩ ફુટ નીચે જોવા મળી છે. પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 4:21 PM

વરસાદનું એકપણ ટીપું ન વરસવા છતાં પૂરનો સામનો કરી રહેલા ભરૂચ(Bharuch)માં નર્મદાના પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત થતા સ્થાનિકોએ રાહત અનુભવી છે. ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા 25 ફુટ નજીક વહી રહી છે. ભરૂચમાં નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે જોકે આ સ્તરે પૂરનાં પાણી કાંઠા વિસ્તારમાં ખાસ નુકસાન પહોંચાડતા ન હોવાથી હવે ચિંતા ટળી છે તેમ કહી શકાય. બે દિવસ પૂરની પરિસ્થિતિ રહી હતી. ગુરુવારે રેવાથી 28 ફૂટના મહત્તમ સ્તરે પહોંચ્યા હતા. આ સપાટીએ ભરૂચ શહેર અને અંકલેશ્વરના કાંઠાના ગામોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઇ હતી.

આજે વહેલી સવારથી સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સપાટી ૩ ફુટ નીચે જોવા મળી છે. પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. પૂરનાં પાણી કીચડ અને કચરો છોડી જતા હોય છે. આ ગંદકીની તરત સફાઈ ન કરવામાં આવે તો તેના કારણે રોગચાળાનો પણ ભય રહેતો હોય છે. કાઠાંના વિસ્તારમાં વળતાં પાણી સાથે સફાઈ અને દવા છંટકાવ શરુ કરાવાયો છે. આ ઉપરાંત સ્થળાંતર કરાયેલા લોકોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે. હજુ ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજથી ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. ગોલ્ડનબ્રિજ નજીક નદીની જળ સપાટી 25 ફૂટે પહોંચી છે. જો કે હજી પણ ભયજનક સપાટીએ નર્મદા નદી વહી રહી છે. નદીના જળ સ્તર ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહ્યાં છે

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">