લઠ્ઠાકાંડ : દારૂના નામે કેમિકલ પિરસનાર 21 આરોપીની ધરપકડ,આજે કોર્ટમાં રજૂ કરી શકે છે પોલીસ
Botad Lattha Kand

લઠ્ઠાકાંડ : દારૂના નામે કેમિકલ પિરસનાર 21 આરોપીની ધરપકડ,આજે કોર્ટમાં રજૂ કરી શકે છે પોલીસ

| Edited By: | Updated on: Jul 27, 2022 | 10:03 AM

બરવાળા ઝેરીદારૂકાંડમાં (Barvala Lattha kand) મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં માત્ર સર ટી હોસ્પિટલમાં જ કુલ 17 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે.

બોટાદના (Botad) બરવાળા ઝેરી દારૂ કાંડમાં (Barvala hooch tragedy) અનેક જિંદગીનો ભોગ લેવામાં સંડોવાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને આજે પોલીસ (Botad police) કોર્ટમાં રજૂ કરી શકે છે.આ આરોપીઓ સામે બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાયેલી છે.જેમાં બરવાળામાં 14 લોકો સામે ફરિયાદ થઈ છે, તેમાંથી 7 આરોપીની ધરપકડ કરાઈ છે. રાણપુરમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાંથી 6 આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે ધંધુકામાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે તમામની ધરપકડ કરવામાં આવી છે.

ઝેરી દારૂકાંડમાં મોતનો સિલસિલો યથાવત

બરવાળા ઝેરી દારૂકાંડમાં (Barvala Lattha kand) મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં માત્ર સર ટી હોસ્પિટલમાં જ કુલ 17 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. અને વિવિધ હોસ્પિટલમાં (hospital) કુલ 144 લોકો સારવાર હેઠળ છે. જેમાં સર ટી હોસ્પિટલમાં 73 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. કયા ગામમાં કેટલા મોત થયા તેની વાત કરીએ તો, રોજિદ ગામમાં (rojid Village) 10 લોકોનાં મોત થયા છે. જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે. ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.

 

Published on: Jul 27, 2022 10:01 AM