Banaskantha: બનાસ બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી, બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો

બનાસ બેંકમાં પહેલીવાર ઠાકોર સમાજના આગેવાન વાઈસ ચેરમેન બન્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેન બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો છે. એટલું જ નહીં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત વિશ્વાસુ પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 4:33 PM

બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur) સ્થિત બનાસ બેંક(Banas Bank)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી છે. ચેરમેન તરીકે અણદા પટેલ અને વાઈસ ચેરમેન તરીકે પીરાજી કુંવરજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. બંને બિનહરીફ ચૂંટાયા છે.

ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેનના પદ માટે એકમાત્ર ફોર્મ અણદાભાઇ રામાભાઇ પટેલે ભર્યુ હતુ. અન્ય કોઇ હરીફ ન હોવાથી તેમની બેંકના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. જે બાદ વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ એકમાત્ર ફોર્મ પીરાજી કુંવરજી ઠાકોરે ભર્યુ હતુ. જેથી તેમને પણ બિનહરીફ જાહેર કરીને વાઇસ ચેરમેન તરીકે તેમની વરણી કરવામા આવી છે.

ખેડૂતોના કામ કરવાની તત્પરતા બતાવી

બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા અણદા પટેલ અને પીરાજી ઠાકોરે જણાવ્યુ કે તેઓ ખેડૂતોના કામ કરવા માટે તત્પરતા દાખવતા રહેશે. તેમણે એમ પણ કહ્યુ કે બનાસકાંઠાના ગરીબમાં ગરીબ માણસને સરળતાથી ધીરાણ મળી રહે તેમજ છેવાડાના માણસને પણ બેંક થકી જે રીતે સુખી કરી શકાય, જે મદદ કરી શકાય એ પ્રમાણે તે કામ કરતા રહેશે.

મહત્વનું છે કે બનાસ બેંકમાં પહેલીવાર ઠાકોર સમાજના આગેવાન વાઈસ ચેરમેન બન્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેન બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો છે. એટલું જ નહીં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત વિશ્વાસુ પણ છે.

 

આ પણ વાંચોઃ ફરી એકવાર કપાસ મોંઘો થવા લાગ્યો, ખેડૂતોને આશા છે કે ભાવ હજુ વધશે, ખેડૂતોએ શું કરવું જોઈએ ?

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">