Banaskantha : છ વર્ષ બાદ અંબાજીના માનસરોવરમાં નવા નીર આવતા છલકાયું

બનાસકાંઠાના અંબાજીનું (Ambaji)  માનસરોવર છલકાયું છે. જેમાં 6 વર્ષ બાદ વરસાદી પાણીથી માનસરોવરમાં નવા નીર આવ્યા છે. તેમજ 90 ફૂટ જેટલું ઉંડો માનસરોવર કુંડ પણ છલકાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 6:40 PM

ગુજરાત (Gujarat)  અને રાજસ્થાનમાં સતત વરસી રહેલા વરસાદ(Rain) બાદ રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે. તેમજ અનેક ડેમોમાં પાણીની આવક પણ વધી છે. જેમાં બનાસકાંઠાના અંબાજીનું (Ambaji)  માનસરોવર છલકાયું છે. જેમાં 6 વર્ષ બાદ વરસાદી પાણીથી માનસરોવરમાં નવા નીર આવ્યા છે. તેમજ 90 ફૂટ જેટલું ઉંડો માનસરોવર કુંડ પણ છલકાયો છે.

જેમાં માનસરોવરના પુજારી દ્વારા ફૂલ અને શ્રીફળ પધરાવી વધામણા કર્યા હતા. તેમજ માનસરોવરમાં પાણી ભરાતા આજુબાજુના હેન્ડપંપ તેમજ કૂવા રિચાર્જ થયા છે. આ ઉપરાંત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વાવમાં માનસરોવરની સપાટી વધતા તળ ઉંચા આવે છે. જેમાં માનસરોવરમાં પાણી ભરાતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત બનાસકાંઠાની દાંતા તાલુકાની અર્જુન નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેમાં ઉપરવાસમાં 2 કલાકમાં ધમાકેદાર 2 ઈંચ વરસાદ પડતા નદીમાં પાણીની જંગી આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતા મોક્તેશ્વર ડેમ પણ પાણીથી ભરાઈ જશે. તો બીજી તરફ ધોધમાર પડી રહેલા વરસાદના પગલે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયું હતું. જેના કારણે પાકમાં નુકશાન જવાની ભિતી સેવાઈ રહી છે.

 

Follow Us:
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">