Vadodara: ત્રણ માસમાં 2,883 રખડતા ઢોર પકડવામાં આવ્યા હોવાનો મેયરનો દાવો, વિપક્ષે દાવા ખોટા ગણાવ્યા

વડોદરાના મેયર ઢોરના ત્રાસ મુક્ત કરવા છેલ્લા ત્રણ મહિનામાં 2,883 ઢોર પકડવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે, જોકે બીજી તરફ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે મેયર તરફથી શહેરને ઢોર મુક્ત કરવાની માત્ર વાતો કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:13 AM

વડોદરા (Vadodara)માં રખડતા ઢોર (Stray cattle)નો ત્રાસ યથાવત છે. જાહેર રસ્તા પર ગમે ત્યાં રખડતા પશુઓ અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે. ત્યારે વડોદરાના મેયર (Mayor) ઢોરના ત્રાસ મુક્ત કરવા છેલ્લા ત્રણ મહિનામાં 2,883 ઢોર પકડવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે, જોકે બીજી તરફ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે મેયર તરફથી શહેરને ઢોર મુક્ત કરવાની માત્ર વાતો કરવામાં આવે છે

વડોદરા શહેરમાં રખડતા ઢોરને લઈને મેયર કેયુર રોકડિયાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વડોદરાને ઢોરના ત્રાસ મુક્ત કરવા છેલ્લા ત્રણ મહિનામાં 2,883 ઢોર પકડવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં પશુપાલકો પાસેથી રૂપિયા 17.80 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. તેમજ ત્રણ મહિના દરમિયાન 219 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેયરે દાવો કર્યો કે શહેરના ખટમબા વિસ્તારમાં પશુ હોસ્ટેલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં રખડતા પશુઓ મોકલવામાં આવશે અને ઢોરોથી થતાં અકસ્માતો ઓછા થશે.

બીજી તરફ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે મેયર તરફથી શહેરને ઢોર મુક્ત કરવાની માત્ર વાતો કરવામાં આવે છે. હકીકતમાં રખડતા ઢોરોના ત્રાસથી અકસ્માતની સંખ્યાઓ પણ વધી રહી છે. વિપક્ષના નેતાએ પશુ દીઠ થતાં ખર્ચનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કોર્પોરેશનની તિજોરી પર ખોટું આર્થિક ભારણ દૂર કરવા ચોક્કસ આયોજન ઘડવા માગ કરી છે.

આ પણ વાંચોઃ Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

આ પણ વાંચોઃ Botad: બોટાદનાં સાળંગપુર હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગારાયા, જુઓ VIDEO

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">