વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું પ્રથમ આર્કિયો મ્યુઝિયમ- જાણો શું છે વિશેષતા- Video

|

Sep 17, 2024 | 7:40 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એશિયાનું સૌપ્રથમ આર્કિયે મ્યુઝિયમ તૈયાર થવા જઈ રહ્યુ છે. આ મ્યુઝિયમનું હવે માત્ર 10 ટકા જેટલુ જ કામ બાકી છે. આ મ્યુઝિયમ વડનગરના વર્ષો જૂના ઈતિહાસથી લોકોને માહિતગાર કરશે.

મહેસાણાના વડનગર ખાતે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિમની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. માત્ર 10 ટકા જેટલું કામ હવે બાકી છે. મહત્વનું છે, આ મ્યુઝિયમ અંદાજિત 4 મહિનાના સમયગાળામાં લોકો માટે ખુલ્લું મૂકાઇ શકે છે. આપને જણાવી દઇએ, આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમ 7 સદીના કલ્ચરની પ્રતીતિ કરાવશે. સાથે, વડનગરના વર્ષો જૂના ઇતિહાસથી લોકોને માહિતીગાર કરશે. એટલું જ નહીં, 2800 વર્ષ જૂના વારસાને આ મ્યુઝિયમ થકી ઉજાગર કરાશે.

આ, આર્કિયો મ્યુઝિયમના સ્ટ્રકચરની વાત કરીએ તો તેની ઉંચાઇ 21 મીટર જેટલી છે. 3 માળની આ ઇમારત 326 પિલ્લર પર ઉભી કરાઇ છે. જેના માટે 13 હજાર 525 ફૂટ એરિયાનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત, 250 ટન જેટલા લોખંડ પણ વપરાયુ છે. આ મ્યુઝિયમની કામગીરીમાં વપરાશ કરાયો છે. હાલ, આ મ્યુઝિયમની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જલ્દી જ દેશ-વિદેશના પ્રવાસીઓનો જમાવડો પણ અહીં જોવા મળી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video