લોકસભાની અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે.ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વ પૂર્ણ ચુકાદો આવ્યો છે.ચૂંટણી અધિકારીએ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જ ચુકાદો આપ્યો છે. તેમજ જેની ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા.જેનીબેન ઠુમરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતા.
બીજી તરફ લોકસભાની ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનુ ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે.ઉમેશ મકવાણાની એફિડેવીટમાં આવકને લઈને, શિક્ષણને લઈને વિસંગતતાઓ હોવાની ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેની સામે કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ જરૂરી ખુલાસાઓ કર્યા હતા.
Published On - 2:28 pm, Sun, 21 April 24