વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ હતુ. જેના પગલે ભાજપના પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેમાં કેતન ઈનામદારે તેમની સમસ્યા સી આર પાટીલને જણાવી હતી. સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઈનામદાર રાજીનામું પાછુ ખેંચવા માટે માની ગયા છે. કેતન ઈમાનદારે કહ્યું કે હું રાજીનામું પરત ખેંચીશ. હું પક્ષનો વફાદાર છું. આ સાથે જ કેતન ઈમાનદારે જણાવ્યુ કે મારા મનની જે વાત છે તેનો નિરાકરણ લાવવા સંગઠન પ્રયાસ કરશે. મને સંતોષ થાય તે મુજબ વાતનું નિરાકરણ આવે તેમ થયુ છે.
વિધાનસભા અધ્યક્ષ કેતન ઈનામદારે મીડિયા સમક્ષ રાજીનામું આપ્યા પછી પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ છે કે મારા માન-સન્માનને ઠેંસ પહોંચતા રાજીનામું આપ્યુ છે.
Published On - 4:28 pm, Tue, 19 March 24