Diwali 2022 : ખાસ જાણવુ જરૂરી ! મોટા પ્રમાણમાં ફટાકડા ફોડાતા અમદાવાદના પ્રદુષણમાં થયો મોટો વધારો

પ્રદુષણ વધતા અમદાવાદ શહેરનો (Ahmedabad)  હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 8:29 AM

દેશભરમાં દિવાળીની (Diwali)  રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં પણ પાછલા બે વર્ષની સરખામણીએ આ વખતે દિવાળીનો માહોલ કઈંક અલગ જ છે. ફટાકડાની ખરીદીની ધૂમ મચી છે. જો કે મોટા પ્રમાણમાં ફટાકડા (Crackers) ફોડાતા પ્રદૂષણમાં (Pollution)  પણ વધારો થયો છે. અમદાવાદ શહેરનો (Ahmedabad)  હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો. તો ચાંદખેડામાં 319 અને રાયખડમાં 279 AQI નોંધાયો છે. નિષ્ણાંતોને ડર છે કે જો આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં આવશે તો હવાની ગુણવત્તા હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.

હવાની ગુણવત્તા હજુ પણ થઈ શકે છે ખરાબ

તો બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા (Fire Crackers) ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને દિલ્હીવાસીઓએ દિવાળીની રાત્રે ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડ્યા. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. લોકોને ફટાકડા ફોડવાથી રોકવા માટે નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં, લોકોએ સાંજ પડતાં જ દક્ષિણથી ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિલ્હી સહિત શહેરના ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડ્યા. સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવી ગઈ હતી. જો કે, 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 312 રહ્યો, જે દિવાળી પર સાત વર્ષમાં બીજા નંબરનો શ્રેષ્ઠ AQI છે. અગાઉ 2018 માં, દિવાળી પર AQI 281 નોંધવામાં આવ્યો હતો.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">