Rath Yatra 2024 : રથયાત્રામાં જોવા મળી કોમી એકતા, મુસ્લિમ અગ્રણીઓએ રથયાત્રાનું કર્યુ સ્વાગત, દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટીઓને આવકાર્યા, જુઓ Video

|

Jul 07, 2024 | 10:55 AM

અમદાવાદના ખમાસા ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે. તેમજ AMCના પદાઅધિકારીઓએ પણ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું છે. 

ભગવાન જગન્નાથ આજે નગરયાત્રા પર નીકળ્યા છે. જેના પગલે સમગ્ર અમદાવાદમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના ખમાસા ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે. તેમજ AMCના પદાઅધિકારીઓએ પણ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું છે.

તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે, ત્યારે તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા છે. સાંસ્કૃતિક ઝાંખી સાથેના 101 ટ્રક રથયાત્રામાં જોડાયા છે. અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રામાં સામેલ થયા છે. સાધુ-સંતો સાથે લગભગ 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચી રહ્યાં. દેશભરમાંથી 2000 જેટલાં સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લીધો છે.

Next Video