Ahmedabad: જશોદાનગરમાં ‘ખાડા’ તંત્ર સામે સ્થાનિકોનો રોષ, ધીમી ગતિએ ચાલતા કામથી લોકોને હાલાકી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી મણિનગર જવાના માર્ગ પર છેલ્લા બે મહિના જેટલા સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે અને અધૂરું કામ રાખ્યા બાદ હાલ કામને અટકાવી દેવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:35 AM

અમદાવાદ(Ahmedabad)ના જશોદાનગરના લોકો કોર્પોરેશન (Corporation)ની ધીમી ગતિને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જશોદાનગરથી મણિનગર જવાના માર્ગ પર કોર્પોરેશન અને ખાનગી કંપની દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ ગત બે મહિનાથી આ કામ પુરુ થયું નથી, તેમજ ખાડા ખોદાઈ જતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે તો વારંવાર ટ્રાફિક જામ (Traffic)ની સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. તેમજ વહેલા કામ પૂર્ણ કરવા અપીલ કરી છે.

અનેક વખત હાઈકોર્ટની ફટકાર લગાવ્યા બાદ પણ અમદાવાદનું તંત્ર જાણે કે નિદ્રાવસ્થામાં હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં રોડ રસ્તા પર થયેલા દબાણ તથા ખાનગી કંપનીઓના અધૂરા ખોદકામને કારણે સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી મણિનગર જવાના માર્ગ પર છેલ્લા બે મહિના જેટલા સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે અને અધૂરું કામ રાખ્યા બાદ હાલ કામને અટકાવી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંના લોકો અનેક સમસ્યાઓ ભોગવી રહ્યા છે.

જશોદાનગરથી મણિનગર જવાના આ માર્ગ આસપાસ અનેક સોસાયટી આવેલી છે. સાંકડા રોડના કારણે બાળકો પણ ખાડામાં પડી જવાનો ભય છે. આ ઉપરાંત અને કેટલાક વેપારીઓ પણ પરેશાન છે જેમાં તેમના દ્વારા મંગાવેલ માલસામાનનો ટ્રક અનેક વખત અહીંયા ફસાઈ જાય છે અને કલાકો સુધી તેમનો સમય વેડફાય છે. જેના પગલે અહીંના લોકો હેરાન થઈ રહ્યા છે અને તંત્ર દ્વારા વહેલી તકે કામ પુરુ કરવાની અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

આ પણ વાંચો: Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા

Follow Us:
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">