ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપનું ગઠબંધન, AAP 2 બેઠકો પર લડશે લોકસભા ચૂંટણી,જુઓ Video

લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન થયુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાત, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં સિટ શેરિંગનો ફોર્મ્યુલા સેટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બેઠક પર લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2024 | 1:02 PM

લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન થયુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાત, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં સિટ શેરિંગનો ફોર્મ્યુલા સેટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બેઠક પર લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં AAP 2 બેઠકો પર લડશે ચૂંટણી

ગુજરાતમાં કોંગ્રેસ-આપના ગઠબંધન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં AAP 2 બેઠકો પર ચૂંટણી લડશે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ તેના ઉમેદવાર મેદાનમાં ઉતારશે.

ભરૂચ અને ભાવનગરમાં આ બે AAP ઉમેદવાર

ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. પહેલા ભરૂચ બેઠક પર કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલે દાવેદારી કરી હતી.જો કે હવે ગઠબંધનને લઇને ચૈતર વસાવા ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબના ડેપ્યુટી સ્પીકર હોલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બેઠક વહેંચણી અંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાવરિયા, અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ પીસી માટે પહોંચ્યા હતા.

કયો પક્ષ કઇ બેઠક પર લડશે ?

આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર બેઠકો પરથી ચૂંટણી લડશે – નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી તેના ઉમેદવારો ઉભા કરશે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ ભરૂચ અને ભાવનગરની સીટો આમ આદમી પાર્ટીને આપવા માટે રાજી થઈ ગઈ છે. જો કે અરવિંદ કેજરીવાલે ભરૂચ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો, પરંતુ બાકીની 24 સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">