Rajkot Video : મચ્છરજન્ય રોગચાળાએ ઉંચક્યું માથું, એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 જેટલા કેસ નોંધાયા

|

Aug 21, 2024 | 3:21 PM

રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 જેટલા કેસ નોંધાયા છે.

રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે 5 કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના 1798 કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ ગયુ છે.

અમદાવાદમાં વકર્યો રોગચાળો

બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં માત્ર 17 દિવસમાં ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી જુલાઈમાં નોંધાયેલ કુલ કેસના 50 ટકા કેસ માત્ર 17 દિવસમાં નોધાયા છે. ટાઈફોઈડના 485, મેલેરિયાના 110, ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા છે.કમળાના 299, કોલેરાના 22 કેસ સામે આવ્યા છે. દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, લાંભામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. ઉપર જણાવેલ કેસોમાં ખાનગી હોસ્પિટલના કેસોનો સમાવેશ નથી. ખાનગી હોસ્પિટલમાં નોંઘાયેલો આંક પણ ખૂબ જ ઊંચો હોવાની શક્યતા છે.

Next Video