Amreli : અમરેલીના રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન અચાનક માલગાડી આવતાં બે સિંહને અડફેટે લીધા હતા. આ દરમિયાન ઈમર્જન્સી બ્રેક મારતા આગળ જઈ રહેલી બે સિંહણ બચી ગઈ હતી. ઈજાગ્રસ્ત એક સિંહને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના મામલે વનમંત્રી મુળું ભાઈ બેરાનું નિવેદન આવ્યું છે. ઘટના રાત્રે 2 વાગે બની હતી, ગાર્ડ દ્વારા સિંગ્નલ આપવામાં આવ્યું હતું , કુલ 4 સિંહ ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા. જેમાં બે સિંહ તો ટ્રેક પાર કરી ગયા પરંતુ બીજા બે સિંહ ટ્રેક ક્રોસ ન કરી શક્યા અને ટ્રેનની અડફેટે આવી ગયા, આ દરમિયા એકનું મૃત્યુ થયું છે અને એક સિંહ હાલ સારવાર હેઠળ છે.ભવિષ્યમાં આવી ઘટના ના બને એ માટે સૂચના આપવામાં આવી છે, વનમંત્રી જણાવ્યું કે ગાર્ડની સંખ્યા વધારવામાં આવશે, જરૂર પડશે તો સિંહના વાડની હાઈટ વધારવા માં આવશે
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો