ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો 1 વર્ષ બાદ પણ કોઈ પત્તો નહીં, હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીએ થશે વધુ સુનાવણી

|

Feb 07, 2024 | 6:39 PM

ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023એ પરિજનો સાથે છેલ્લી વાત થઇ હતી. આ મામલે અત્યાર સુધી ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગુઆમાં તપાસ કરાઇ છે. અનેક દેશ અને ટાપુઓ પર પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. 1 વર્ષ બાદ પણ 9 લોકો વિશે કોઇ જાણકારી સામે આવી નથી. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગ ગુમ લોકોને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. હાઇકોર્ટે 1 વર્ષ બાદનો સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે જવાબ દાખલ કર્યો હતો.

ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023એ પરિજનો સાથે છેલ્લી વાત થઇ હતી. આ મામલે અત્યાર સુધી ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગુઆમાં તપાસ કરાઇ છે. અનેક દેશ અને ટાપુઓ પર પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad : વિરમગામ અંધાપાકાંડ કેસમાં સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી,રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યુ

 

 

Next Video