Breaking News : શેત્રુંજી નદીમાં નાહવા પડેલા 4 બાળક ડૂબી જતા મોત, જુઓ Video

| Edited By: | Updated on: May 06, 2025 | 10:47 AM

અમરેલીમાં 4 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમરેલીના ગાવડકા નજીક આવેલી શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા પડ્યા હતા. ત્યારે ચારેય બાળકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા.

અમરેલીમાં 4 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમરેલીના ગાવડકા નજીક આવેલી શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા પડ્યા હતા. ત્યારે ચારેય બાળકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. પરંતુ ચારેય બાળકોનું ડુબી જતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો નદી કિનારે દોડી આવ્યા હતા. તેમજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતબાળકો સ્થાનિક વિસ્તારના હોવાનું પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

ધોરાજીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર કાર પલટી જતા 4 લોકોના મોત નિપજ્યાં છે. ધોરાજીથી સુપેડી જતા માર્ગમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અન્ય બે લોકોને પણ ગંભીર ઈજા પહોંચી છે. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ધોરાજી બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો