Surat : સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો, જુઓ Video

Surat : સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 09, 2025 | 12:47 PM

સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે આરોગ્ય વિભાગે લીધેલા દૂધના માવાના નમૂના ફેલ થયા છે. માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો થયો છે. 15 દિવસમાં ખાદ્યપદાર્થોના 22 નમૂના લેવાયા હતા.

સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે આરોગ્ય વિભાગે લીધેલા દૂધના માવાના નમૂના ફેલ થયા છે. માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો થયો છે. 15 દિવસમાં ખાદ્યપદાર્થોના 22 નમૂના લેવાયા હતા. જે નમૂના ફેલ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આગામી તહેવારોને લઈ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 2 દિવસલ પહેલા ખમણ, મીઠાઈ, ફરાળી પર્દાથોના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ નમૂના માથી શંકર માવાવાલા, શ્રી કૃષ્ણા માવા, ગણેશ ડેરી , જય અંબે માવા , અંબા શંકર માવા , શ્રી ક્રિષ્ના ડેરી , નંદ કિશોર ડેરી , અમૃત ડેરી ફાર્મના માવાના નમૂના ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો થયો. હવે આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો