આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ દિવસ

|

Jan 02, 2020 | 3:14 AM

મેષ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ દિવસ

Follow us on

મેષ

ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વૃષભ

વેપારમાં વૃદ્ઘિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દામ્‍પત્‍યજીવનમાં સંતોષ અને આનંદ રહે. ૫ર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્‍માન પ્રાપ્‍ત થાય. લગ્‍નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.

મિથુન

શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્‍ઠા વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાં૫ત્‍યજીવનમાં સુખ અને આનંદ અનુભવશો.

કર્ક

આજે આપની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્‍છનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ ૫સાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.

સિંહ

આજે આપે આરોગ્‍યની વિશેષ સંભાળ લેવાની રહેશે. તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્‍મક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવી. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. અનૈતિક કાર્યથી બદનામી થવાના યોગ છે. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ અને આધ્યાત્મિક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.

કન્યા

દામ્‍૫ત્‍યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્‍યાતિ અને પ્રતિષ્‍ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્‍ત્રાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો ૫રિચય પ્રણયમાં ૫રિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. ધનલાભ થાય.

તુલા

સામાન્‍ય રીતે આજે તંદુરસ્‍તી સારી રહેશે અને બીમાર વ્‍યક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્‍સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક

આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવાની સલાહ છે, આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. સંતાનોના પ્રશ્‍ને સમસ્‍યાઓ ઉદભવે. સ્‍વમાનભંગ ન થાય તેનો ખ્‍યાલ રાખવો. જો કે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ઘિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવો. શેર સટ્ટાનું પ્રલોભન નુકશાન ૫હોંચાડી શકે છે.

ધન

આજે આપને વધુ ૫ડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. મનમાં ઉઠતી દ્વ‍િધાઓથી આપ માનસિક ઉચાટ અનુભવો. આરોગ્‍યની બાબતમાં પણ આજનો દિવસ સારો નહીં રહે. માતાની તબિયત અંગે કાળજી લેવી ૫ડે. અનિદ્રા સતાવે જળાશયોથી સાચવીને રહેવું હિતાવહ છે.

મકર

આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્‍હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્‍વસ્‍થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્‍વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ઘિ મળશે.

કુંભ

મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. અગત્‍યના નિર્ણયો ન લેવા. વાણી ૫ર સંયમ નહીં રહે તો કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્‍ય બગડે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ સમય છે.

મીન

આનંદ ઉત્‍સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્‍ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. મનમાં કોઇ નિર્ણય લેતાં દ્વિધા અનુભવો તો નિર્ણય મોકૂફ રાખવાની સલાહ છે. ૫રિવાર સાથે મિષ્‍ટાન્‍ન ભોજનનો આનંદ મળશે. પ્રવાસ થાય. દાં૫ત્‍યજીવન આનંદમય રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article