Ajab-Gajab: શું તમને ખબર છે કે આઈસ્ક્રીમનું પણ હોય છે કબ્રસ્તાન, દિલચસ્પ છે તેની પાછળનું કારણ

|

Oct 11, 2021 | 10:35 PM

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે જાણીને લોકોને જાણ નથી. આજે અમે તમને એક એવા કબ્રસ્તાન વિશે જણાવીશું જ્યાં માણસોને નહીં પરંતુ આઈસ્ક્રીમને દફનાવવામાં આવ્યો છે. આ કબ્રસ્તાન પ્રખ્યાત બ્રાન્ડ બેન અને જેરી દ્વારા બનાવવામાં આવ્યું છે.

Ajab-Gajab: શું તમને ખબર છે કે આઈસ્ક્રીમનું પણ હોય છે કબ્રસ્તાન, દિલચસ્પ છે તેની પાછળનું કારણ
File photo

Follow us on

કબ્રસ્તાનનું નામ સાંભળતા જ આપણા મગજમાં કબરો અને લોકોના નામના ગ્રેવસ્ટોનની તસ્વીર સામે આવવા લાગે છે. અહીં લોકો પોતાના પ્રિયજનોની યાદમાં ફૂલ રાખવા પણ જાય છે. 

 

પરંતુ આજે અમે તમને એક એવા કબ્રસ્તાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં માણસોના મૃતદેહ નહીં, પરંતુ આઈસ્ક્રીમના (Ice cream) સ્વાદને દફનાવવામાં આવ્યા છે. આની પાછળ એક ખૂબ જ ખાસ હેતુ છે. આ સ્વાદોને દફનાવવા પાછળ એક ખાસ કારણ છે, જે ખૂબ જ લાગણીશીલ છે. આ કબ્રસ્તાન (Cemetery) પ્રખ્યાત બ્રાન્ડ બેન અને જેરી (Ben and Jerry) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કબ્રસ્તાન બનાવવાનો મુખ્ય હેતુ તે હતો જે ફેલવર્સનું ઉત્પાદન હવે બેન એન્ડ જેરીએ કાયમ માટે બંધ કરી દીધું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે કબ્રસ્તાન


એક ખાનગી મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લેવર્સની નીચે ગ્રેવેસ્ટોન્સ પણ લગાવવામાં આવ્યા છે. જેથી લોકો તે ફ્લેવર્સને યાદ કરી શકે. ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ ખાસ સ્વાદની આઈસ્ક્રીમ સાથે આપણું જોડાણ વધે છે, પરંતુ કોઈ કારણોસર કંપની તે ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવવાનું બંધ કરે છે.

 

જ્યારે મનગમતી આઈસ્ક્રીમનું ઉત્પાદન બંધ થઈ જાય છે, ત્યારે કસ્ટમરને ઘણું દુઃખ થાય છે. જેના કારણે પ્રખ્યાત બ્રાન્ડ બેન અને જેરીએ આ કબ્રસ્તાન બનાવ્યું છે. જેથી આઈસ્ક્રીમ પ્રેમીઓ બે ક્ષણો માટે બેસી શકે અને તે સમયને યાદ કરી શકે જ્યારે તેઓ તેમના મનપસંદ સ્વાદને ખુલ્લેઆમ માણતા હતા.

 

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ કબ્રસ્તાન 4 ફ્લેવર્સથી શરૂ થયું હતું, પરંતુ સમય જતાં ઘણા ફ્લેવર્સનું ઉત્પાદન બંધ થઈ ગયું અને કબ્રસ્તાનમાં કબરની સંખ્યા વધતી રહી. અત્યારે આ સંખ્યા 35 પર પહોંચી છે. એટલે કે કહી શકાય કે કંપનીએ અત્યાર સુધી 35 ફ્લેવરનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

 

બેન એન્ડ જેરીના માલિક નિકોલા સિમોન્સ આ કબ્રસ્તાનની સ્થાપના વિશે કહ્યું હતું કે ‘આ ફ્લેવર કબ્રસ્તાન 30 વર્ષ પહેલા ઓનલાઈન શરૂ થયું હતું. અમે હેલોવીન દરમિયાન વેબસાઈટ દ્વારા શરૂઆત કરી હતી. બાદમાં 1997 માં અમે તેને તેના મૂળ સ્વરૂપમાં અમારા વોટરબરી પ્લાન્ટમાં શરૂ કર્યું. જ્યાં આ સ્વાદોને પસંદ કરતા લોકો મુલાકાત લઈ શકે છે અને તેમની લાગણીઓ વ્યક્ત કરી શકે છે.

 

આ પણ વાંચો : G20 Extraordinary Leaders’ Summit અફઘાનિસ્તાનના મુદ્દે મંગળવારે યોજાનાર G20ની સમિટમાં PM મોદી વરચ્યુલ રીતે લેશે ભાગ

 

આ પણ વાંચો :Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી

Next Article