મોબાઈલ યુઝર્સ હાલમાં મોબાઈલ રિચાર્જના (Mobile Recharge) ખર્ચનો સામનો કરી રહ્યા છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ બે મહિના પહેલા તમારા મોબાઈલ રિચાર્જને લગભગ 20 થી 25 ટકા મોંઘું કર્યું છે. મોબાઈલ રિચાર્જના દરમાં આ વધારો બે વર્ષ બાદ થયો છે. પરંતુ ભાવમાં નવો ઉછાળો હવે ટુંક સમયમાં જોવા મળી શકે છે. આ વખતે વોડાફોન આઈડિયા (Vodafone Idea) ભાવ વધારો શરૂ કરશે. વોડાફોન આઈડિયાના એમડી અને સીઈઓ રવિન્દર ઠક્કરે કહ્યું છે કે કંપની આ વર્ષે પણ તેના પ્લાનને મોંઘા બનાવશે. વોડાફોન આઈડિયાના પ્લાન 2022ના અંત સુધીમાં અથવા 2023ની શરૂઆતમાં મોંઘા થઈ શકે છે. નવા ટેરિફથી કંપની માટે પ્રતિ યુઝર્સ સરેરાશ આવક (ARPU)માં ઓછામાં ઓછો 1.9 ગણો વધારો થવાની ધારણા છે.
વોડાફોન આઈડિયા સતત સબસ્ક્રાઈબર્સના મામલામાં ઘણું સહન કરી રહ્યું છે. તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. ડિસેમ્બર 2021માં કંપનીના પ્લાન મોંઘા થયા બાદ તેના સબસ્ક્રાઈબર બેઝમાં લગભગ3 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ટેરિફ મોંઘા થયા બાદ પણ પ્રતિ યુઝર્સ સરેરાશ આવક (ARPU)માં પણ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની વર્તમાન ARPU રૂ. 115 છે, જે 2020-21ના છેલ્લા ક્વાર્ટરમાં રૂ. 121 હતી.
मोबाइल ऑपरेटर्स ने पिछले साल नवंबर में टैरिफ हाइक किया था. जिससे रिचार्ज प्लान की दरें 20 से 25 फीसद तक बढ़ गई थीं, यह बढ़ोतरी 2 साल बाद हुई थी. लेकिन अब कीमतों में नया इजाफा जल्द ही होगा. देखें वीडियो- @bulandvarun @anshuman1tiwari pic.twitter.com/qBzy5pAP14
— Money9 (@Money9Live) January 25, 2022
વોડાફોન આઈડિયાને ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 7231 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે ભાવ વધારા વિશે ઠક્કર કહે છે કે ભાવમાં ચોક્કસ વધારો થશે. તેમણે કહ્યું કે સમય જોવો પડશે. તે 2022 અથવા 2023માં થઈ શકે છે. ઠક્કરે સંકેત આપ્યો છે કે તેઓ ટેરિફ વધારા માટે બે વર્ષ રાહ જોશે નહીં.
નિષ્ણાતો એમ પણ કહે છે કે કંપનીઓ 2022માં જ ટેરિફમાં વધારો કરી શકે છે. Airtel, Jio અને Vodafone Idea તેમના ARPUને રૂ. 200 અને પછી રૂ. 300 સુધી લઇ જવા માંગે છે. આ માટે તેઓએ ટેરિફ વધારોનો આશરો લેવો પડશે. અત્યારે Airtel અને Jioનું ARPU 150 રૂપિયાથી ઉપર છે. તમને જણાવી દઈએ કે 2019માં સૌથી વધુ ટેરિફમાં 50 થી 60 ટકાની વચ્ચે વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે