Travelling Lovers : ફરવા માટે આ કપલે છોડી દીધો 1.5 કરોડનો બંગલો, વાનમાં ઘર બનાવી ફરી રહ્યા છે દુનિયા

મુસાફરીના શોખીન આ દંપતીએ હવે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. વાનને પોતાનું ઘર બનાવ્યા પછી, દંપતીએ હવે માર્કેટિંગ ટ્રાવેલ કંપની ખોલી છે. બંને તેનું કામ ઓનલાઈન કરે છે.

Travelling Lovers : ફરવા માટે આ કપલે છોડી દીધો 1.5 કરોડનો બંગલો, વાનમાં ઘર બનાવી ફરી રહ્યા છે દુનિયા
Weird Scotland couple sold their 1 crore dream house to shift in van
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:55 AM

જો કોઈ કરોડોનો બંગલો છોડીને વાનમાં શિફ્ટ થવાની વાત કરે તો તમે શું કહેશો? આવું જ કંઇક સ્કોટલેન્ડના એક દંપતીએ કર્યું છે. દંપતી હવે તેમના વૈભવી 12 રૂમનો બંગલો છોડીને વાનમાં રહે છે. હવે રસ્તા પર રખડીને તેઓ પોતાનું  જીવન જીવી રહ્યા છે. ચાલો જાણીએ કે આ કપલે આવો નિર્ણય કેમ લીધો.

સ્કોટલેન્ડની 28 વર્ષીય વિક્ટોરિયા મેકડોનાલ્ડ અને 32 વર્ષીય સ્કોટ રોસ એક સમયે 15 મિલિયનની હવેલીમાં રહેતા હતા. આ દંપતીએ આ વર્ષે પોતાનું ઘર વેચીને એક વાન ખરીદી અને હવે તેમાં રહે છે. દંપતીનું કહેવું છે કે તેઓ શેરીઓમાં રખડતા જીવન પસાર કરવામાં ખૂબ આનંદ માણી રહ્યા છે.

વિક્ટોરિયા અને સ્કોટે પાંચ વર્ષ પહેલા ક્રુડેન બેમાં એક વૈભવી બંગલો એક લાખ પાઉન્ડ એટલે કે લગભગ દોઢ કરોડમાં ખરીદ્યો હતો. વિક્ટોરિયાએ ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, જ્યારે પતિ સ્કોટ હોલિપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. વિક્ટોરિયા અને સ્કોટ કહે છે કે બંને વ્યવસાયના દબાણથી કંટાળી ગયા હતા. આ દરમિયાન તે ડિપ્રેશનમાં જતા રહ્યા. તેથી તેમણે બધું છોડીને કંઈક અલગ કરવાનું મન બનાવ્યું. તેણે પહેલા પોતાનું ઘર વેચી દીધું અને પોતાના માટે વાન ખરીદી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

દંપતીએ આ વાનને રહેવા લાયક બનાવવા માટે લાખોનો ખર્ચ કર્યો અને હવે આમાં તેમનું જીવન ચાલી રહ્યું છે. આ વાન પણ અદ્ભુત છે. તેમાં તમામ સુવિધાઓ છે જે ઘરમાં હોવી જોઈએ. વાનમાં અદ્ભુત રસોડાથી લઈને સૌર ઉર્જાથી શાવર સુધીની વ્યવસ્થા છે.

નોંધનીય છે કે મુસાફરીના શોખીન આ દંપતીએ હવે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. વાનને પોતાનું ઘર બનાવ્યા પછી, દંપતીએ હવે માર્કેટિંગ ટ્રાવેલ કંપની ખોલી છે. બંને તેનું કામ ઓનલાઈન કરે છે. આ દંપતીનું કહેવું છે કે તેઓ વાનમાંથી ગમે ત્યાં, કોઈપણ સુંદર જગ્યાએ કામ કરી શકે છે. વિક્ટોરિયા કહે છે કે હવે તેને ડિપ્રેશનની ગોળીઓ લેવાની પણ જરૂર નથી. આ દંપતીએ 9 થી 5 ની નોકરી છોડી દીધી છે અને પોતાના મન મુજબ જીવન જીવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો –

PM Narendra Modi: પીએમ મોદી આજે ઉત્તરાખંડ જશે, દેશને 35 ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો

આ પણ વાંચો –

IPL 2021 CSK vs PBKS Live Streaming: જાણો પંજાબ અને ચેન્નાઇ વચ્ચેની ટક્કર ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે.

આ પણ વાંચો –

Navratri 2021 Play List : ‘ઘણી કુલ છોરી’ થી લઇને ‘રાધે રાધે’ સુધી આ બોલીવૂડ સોન્ગને તમારી નવરાત્રી પ્લે લિસ્ટમાં સામેલ કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">