AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayak Chaturthi : સોમવાર 14 જૂને છે વિનાયક ચતુર્થી, આ રીતે કરો વિધિ અને પૂજા

Vinayak Chaturthi : ગણપતિ (Lord ganesh) આપણને બધી મુશ્કેલીઓથી દૂર રાખે છે. જેઠ માસના સુદ પક્ષની ચતુર્થી સોમવારએ 14 જૂનના છે. આ દિવસ વિનાયક ચતુર્થી છે

Vinayak Chaturthi : સોમવાર 14 જૂને છે વિનાયક ચતુર્થી,  આ રીતે કરો વિધિ અને પૂજા
વિનાયક ચોથના દિવસે આ રીતે કરો પૂજા
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 4:25 PM
Share

Vinayak Chaturthi : હિન્દી પંચાંગ મુજબ દર મહિને બે ચતુર્થી હોય છે. શુક્લ પક્ષની ચતુર્થી કે જે અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને કૃષ્ણ પક્ષની ચતુર્થી જે પૂર્ણિમા પછી આવે છે તેને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ગણેશ ચોથના રૂપમાં પૂજા કરવામાં આવે છે. જેઠ માસના સુદ પક્ષની ચતુર્થી સોમવારએ 14 જૂનના છે.

આ દિવસ વિનાયક ચતુર્થી છે. હિન્દુ સંસ્કૃતિમાં કોઈપણ કાર્યની સફળતા માટે ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશ પૂજા સુખ, સમૃદ્ધિ અને ખ્યાતિ આપે છે. ગણપતિ (Lord ganesh) આપણને બધી મુશ્કેલીઓથી દૂર રાખે છે.

એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ વિધિ સાથે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે, સુખ-સમૃદ્ધિ વધે છે અને ખ્યાતિ પણ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે, તેથી ગણેશ ચતુર્થીના આ શુભ દિવસે તેમણે મોદકનો પ્રસાદ ધરાવવો જ જોઇએ. આ પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવો જોઈએ.

વિનાયક ચતુર્થી પર પૂજા કરતા પહેલા આ સામગ્રી એકત્રિત કરવી જોઈએ. આ માટે પૂજા માટે લાકડાનો પાટલો, લાલ કાપડ, ગણેશ મૂર્તિ, કળશ, પંચામૃત, રોલી, અક્ષત, ગંગાજલ, એલચી, લવિંગ, નાળિયેર, સોપારી, પંચમેવા, ઘી, મોદક અને કપૂર જોઈશે. વિનાયક ચતુર્થીની પૂજા ભગવાનના આશીર્વાદ અને ઇચ્છિત પરિણામો મળી શકે છે.

ભગવાન ગણેશની પૂજા કરતા પહેલા સ્નાન કરીને પવિત્ર આસન પર બેસવું જોઈએ. બજારમાંથી લાવેલી બધી સામગ્રી એકઠી કર્યા પછી જ પૂજા શરૂ કરવી જોઈએ. આ સિવાય ગણેશજીને દુર્વા પણ ખૂબ જ પ્રિય છે, તો દુર્વાને સારી રીતે ધોઈને ભગવાન ગણેશને અર્પણ કરવી જોઈએ.

ભગવાન ગણેશની આરાધના કર્યા પછી તેનું ધ્યાન ધરી બાદમાં આરતી કરો. આ દરમિયાન તમારે તમારું મન સાત્ત્વિક અને સંપૂર્ણ રીતે ખુશ રાખવું જોઈએ. પૂજા પુરી થયા પછી બધા દેવી-દેવતાઓનું સ્મરણ કરો. આ પછી દરેકને પ્રસાદ વહેંચો.

Disclaimer :  અહીં આપેલ જાણકારી ધાર્મિક આસ્થા અને લોકવાયકા પર આધારિત છે. તેનું વૈજ્ઞાનિક કારણ નથી. )

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">