Kam ni vaat : તમારી કઈ આવક પર નહીં લાગે ટેક્સ, જાણો નિયમ અને શરતો

આવકના એવા સ્રોત કે જ્યાંથી આવક મળે તો પણ તે ટેક્સ ફ્રી હોય છે. જો કે, તેની સાથે કેટલીક શરતો પણ લાગુ પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:55 PM

ભારતનો દરેક નાગરિક જેની વાર્ષિક આવક (Income) 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તે આવકવેરા (Income tax)ના દાયરામાં આવે છે. પરંતુ આવકના કેટલાક સ્રોત એવા છે જ્યાંથી આવક મળે તો પણ આવકવેરા હેઠળ તેને આવરી લેવામાં આવતી નથી. જો કે, તેની સાથે કેટલીક શરતો પણ લાગુ પડે છે. ઈનકમ ટેક્સ રિટર્ન (Income tax return)ફાઈલ કરતી વખતે કરદાતાએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેનાથી તેને ફાયદો થઈ શકે છે જેવા કે આવકના એવા સ્ત્રોત છે કે જ્યાંથી થયેલી આવક ટેક્સમાં બાદ મળે છે એટલે કે તે ટેક્સ ફ્રી ઈન્કમ (Tax free income)કહી શકાય.

આવકના એવા સ્રોત કે જ્યાંથી આવક મળે તો પણ આવકવેરા હેઠળ આવરી લેવામાં આવતી નથી. જો કે, તેની સાથે કેટલીક શરતો પણ લાગુ પડે છે. જેમાં

1. ખેતીની આવક

ખેતીમાંથી આવક સંપૂર્ણપણે કરમુક્ત (Tax free) છે. જો તમે કોઈ પેઢીમાં ભાગીદાર છો, તો નફાના હિસ્સા તરીકે પ્રાપ્ત થયેલી રકમ કરમુક્ત છે. કારણ કે કંપનીએ તેના પર પહેલાથી જ કર ચૂકવ્યો છે.. ધ્યાનમાં રાખો કે કર મુક્તિ માત્ર નફા પર છે પગાર પર નહીં.

2. ગિફ્ટ

તમને મળતી ગિફ્ટ(Gift) કરપાત્ર છે. કરદાતાને મળેલી ભેટો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 56 (2) (x) હેઠળ કરપાત્ર (Taxable) છે. પણ જો તમને લગ્ન પર મિત્રો અને સંબંધીઓ તરફથી ભેટ મળી હોય, તો તેમના પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો કે આ ભેટની કિંમત 50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ સાથે આ ભેટ લગ્નની તારીખ અથવા તેની આસપાસની તારીખે પ્રાપ્ત થઈ હોવી જોઈએ.

3. EPF

જો કર્મચારી સતત 5 વર્ષ સુધી કામ કર્યા બાદ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ને ઉપાડે તો તે કરમુક્ત રહેશે.

4. VRS

સરકારી કર્મચારીની નિવૃત્તિ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવા પર પ્રાપ્ત થતી રકમ 5 લાખ રૂપિયા સુધી કરમુક્ત રહેશે. જોકે આ સુવિધા માત્ર સરકારી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે.

5. PPF

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાયેલા નાણાં, વ્યાજ અને પાકતી મુદત પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થયેલી રકમ તમામ કરમુક્ત છે.

6. NRE બચત/FD ખાતા પર વ્યાજ

NRE ખાતા પર NRI દ્વારા મેળવેલ વ્યાજ ભારતમાં કરમુક્ત છે. આમાં NRE બચત ખાતા અને NRE FD ખાતા બંને પર મળેલ વ્યાજ સામેલ છે.

7. શૈક્ષણિક શિષ્યવૃત્તિ

અભ્યાસ અથવા સંશોધન માટે સરકારી અથવા ખાનગી સંસ્થા તરફથી પ્રાપ્ત શિષ્યવૃત્તિ (Scholarship) કરમુક્ત છે. તમામ પ્રકારની શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ (શાળાથી કોલેજ સ્તર સુધી અને વિદેશમાં અભ્યાસ કરતી વખતે પ્રાપ્ત) કરના દાયરાની બહાર છે.

આવકવેરા અધિનિયમ મુજબ, જો અમુક લોકો અથવા સંબંધીઓ તરફથી ભેટ મળે છે તો તેના પર ટેક્સ લાગતો નથી, ભલે તે 50,000 રૂપિયાથી વધુ હોય. જેમાં કઈ કઈ ભેટનો સમાવેશ થાય છે તે પણ જાણી લો.

વાંચો કઈ ભેટ રહેશે કરમુક્ત

પતિ કે પત્ની તરફથી મળેલી ભેટ
ભાઈ અથવા બહેન તરફથી મળેલી ભેટ
પતિ અથવા પત્નીના ભાઈ અથવા બહેન તરફથી ભેટ
માતાપિતાના ભાઈ અથવા બહેન તરફથી ભેટ
વારસા અથવા વસિયત (Will) દ્વારા મળેલી ભેટ અથવા મિલકત
કોઈપણ નજીકના પૂર્વજ અથવા જીવનસાથીના વંશજ તરફથી મળેલી ભેટ
હિન્દુ અવિભાજિત પરિવારના કિસ્સામાં કોઈ પણ સભ્ય પાસેથી પ્રાપ્ત ભેટ
પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપલ કમિટી અને ડિસ્ટ્રિક્ટ બોર્ડ, કેન્ટોનમેન્ટ બોર્ડ જેવી સ્થાનિક સત્તા પાસેથી ભેટ
કલમ 10 (23C)માં ઉલ્લેખિત કોઈપણ ફંડ/ફાઉન્ડેશન/યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા (Educational institution) તરફથી મળેલી ભેટ
હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા, ટ્રસ્ટ અથવા સંસ્થા તરફથી મળેલી ભેટ
કલમ 12A અથવા 12AA હેઠળ નોંધાયેલ ચેરિટેબલ, ધાર્મિક ટ્રસ્ટ તરફથી મળેલી ભેટ
ગ્રેચ્યુઇટી (Gratuity)પણ કરમુક્ત છે. જો કોઈ કર્મચારી કોઈ સંસ્થામાં સતત 5 વર્ષ સુધી કામ કર્યા બાદ નોકરી છોડે તો તેને ગ્રેચ્યુઈટી મળે છે.
ગ્રેચ્યુઇટી કર મુક્તિના દાયરામાં આવે છે.સરકારી કર્મચારી માટે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી કરમુક્ત છે
ખાનગી કર્મચારીના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી કરમુક્ત છે.

હવે વાત એવી વસ્તુઓની કરીએ કે જે માતાપિતા પાસેથી મળે તો તે કરમુક્ત કહેવાય છે.

માતાપિતા પાસેથી મળેલા પૈસા, ઘરેણાં અને મિલકત

માતાપિતા અથવા પરિવાર તરફથી વારસામાં મળેલી સંપત્તિ, ઘરેણાં અથવા રોકડ કરમાંથી મુક્તિ છે.
વસિયતનામા દ્વારા મળેલ મિલકત કે રોકડ પર પણ ટેક્સ લાગતો નથી. ધ્યાનમાં રાખો કે આવકવેરા વિભાગ કરદાતાને આ વ્યવહાર અંગે પ્રશ્ન કરી શકે છે.
જો આવું થાય, તો કરદાતાએ સાબિત કરવું પડશે કે રકમ અથવા મિલકત તેના માતાપિતાની ઇચ્છા અથવા કુટુંબ વારસા દ્વારા પ્રાપ્ત થઈ છે.
જો કરદાતા પ્રાપ્ત થયેલી રકમનું રોકાણ કરીને કમાણી કરે છે અથવા મિલકતમાંથી આવક અથવા વ્યાજ મેળવે છે, તો તેણે આમાંથી આવક પર કર ચૂકવવો પડશે.

આ પણ વાંચો : Kam ni Vaat : ITR ફાઈલ કરતી વખતે શું રાખશો ધ્યાન, તમારી કઈ કઈ આવક પર છે આઈટી વિભાગની નજર ? 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">