ITની સાઈટ ક્રેશ થઈ હોવાથી આધાર-પાન લિંક થવામાં ઊભી થઈ મુશ્કેલી, લોકોએ મિમ્સ બનાવી કાઢ્યો રોષ

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો હજી પણ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ITની સાઈટ ક્રેશ થઈ હોવાથી આધાર-પાન લિંક થવામાં ઊભી થઈ મુશ્કેલી, લોકોએ મિમ્સ બનાવી કાઢ્યો રોષ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 31, 2021 | 5:42 PM

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો હજી પણ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે પાનકાર્ડને આધાર સાથે જોડવાનું ખૂબ મહત્વનું છે, કારણ કે 31 માર્ચ સુધી જો આધાર પાન સાથે જોડાયેલ નથી તો પાનકાર્ડનો કોઈ ફાયદો નહીં થાય, એટલે કે તે નિષ્ક્રિય થઈ જશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આવી સ્થિતિમાં ઘણા લોકો પાનને આધાર સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, ઘણા વપરાશકર્તાઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખરેખર, એવું થઈ રહ્યું છે કે વેબસાઈટ પર આજે ટ્રાફિક વધારે હોવાથી ઘણા લોકો તેમનો આધાર પાન સાથે લિંક કરી શકતા નથી. જેના કારણે સોશ્યલ મીડિયા પર ઘણા લોકો ફની મીમ્સ બનાવીને એન્જોય કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેમનો આધાર પાન સાથે જોડ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો વેબસાઈટની ભૂલોને કારણે હજી પણ આધારને પાન સાથે લિંક કરી શક્યા નથી.

તમને જણાવી દઈએ કે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાયેલ નથી તો તમારું પાનકાર્ડ આવતા મહિનાથી નિષ્ક્રિય થઈ જશે. જો તમે તેને પછીથી લિંક કરશો તો તમારે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આની સાથે તમારા ઘણા કામ પણ અટવાઈ શકે છે. પાન-આધાર લિંકના અભાવે 50,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે નહીં. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ, ડીમેટ ખાતા ખોલવામાં અને નવું બેંક ખાતું ખોલવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ઘણી વખત વધારી દીધી છે. અગાઉ, તેની છેલ્લી તારીખ 30 જૂન 2020 હતી, જે પછીથી 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી. તે જ સમયે, તેને આગળ ધપાવવાની થોડી આશા છે. નિષ્ણાતો માને છે કે બજેટ દરખાસ્તનો અમલ 1 એપ્રિલ 2021થી થશે. આવી સ્થિતિમાં સમયમર્યાદામાં વધારો થવાની અપેક્ષા હવે ખૂબ ઓછી છે. આવી સ્થિતિમાં જો તમે પાન સાથે આધાર જોડ્યો નથી તો ચોક્કસપણે આજે જ કરો.

આ પણ વાંચો: Corona Vaccination : દેશમાં ગુરુવારથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને મળશે વેક્સિન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">