Shravan-2021: ભૂલથી પણ મહાદેવને આ વસ્તુઓ ન કરતા અર્પણ, નહીંતર બની જશો પાપના ભાગીદાર !

ભોળાનાથ એટલે તો ઝડપથી પ્રસન્ન થનારા દેવ. પણ, જ્યારે આ જ ભોળાનાથ રૌદ્ર રૂપ ધારણ કરે છે, ત્યારે તેમના ક્રોધથી બચવું મુશ્કેલ બની જાય છે. એટલે જ તેમની પૂજા સમયે વિશેષ ધ્યાન રાખવું.

Shravan-2021: ભૂલથી પણ મહાદેવને આ વસ્તુઓ ન કરતા અર્પણ, નહીંતર બની જશો પાપના ભાગીદાર !
હર હર મહાદેવ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 11, 2021 | 10:44 AM

Shravan-2021: પાવનકારી શ્રાવણ (shravan) માસ ચાલી રહ્યો છે. ભક્તો વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભોળાનાથને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભક્તો હંમેશા એ વાત ધ્યાનમાં રાખતા જ હોય છે કે શિવને (shiv) શું અર્પણ કરીએ તો તે જલ્દી પ્રસન્ન થાય ! પરંતુ, તે સાથે જ એ ધ્યાનમાં રાખવું પણ તો જરૂરી છે, કે શિવજીને શું ભૂલથી પણ અર્પણ ન કરવું ? હા, કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જે અર્પણ કરવાથી દેવાધિદેવ ભક્તોની નારાજ થઈ જતા હોવાની લોકવાયકા છે. આ એ દ્રવ્યો છે કે જેનો શિવપૂજામાં નિષેધ મનાય છે. ત્યારે આવો, આજે આપણે તે સંબંધી જ માહિતી મેળવીએ.

મહાદેવને આપણે ભોળાનાથ કહીએ છીએ. ભોળાનાથ એટલે તો ઝડપથી પ્રસન્ન થનારા દેવ. પણ, જ્યારે આ જ ભોળાનાથ રૌદ્ર રૂપ ધારણ કરે છે, ત્યારે તેમના ક્રોધથી બચવું મુશ્કેલ બની જાય છે. એટલે જ તેમની પૂજા સમયે વિશેષ ધ્યાન રાખવું. પુરાણોના આધાર પર તેમજ લોકમાન્યતાઓના આધાર પર કેટલીક વસ્તુઓ શિવજીને અર્પણ કરવાની મનાઈ છે. તો શિવપૂજા સમયે આ બાબતોને વિશેષ ધ્યાનમાં રાખવી.

શંખથી જળ અર્પણ ન કરવું ! ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે. શિવપુરાણ અનુસાર દૈત્ય શંખચૂડના અત્યાચારોથી જ્યારે દેવતાઓ પરેશાન હતા, ત્યારે શિવજીએ ત્રિશૂળ વડે તેનો વધ કર્યો. શંખચૂડનું શરીર ભસ્મ થઈ ગયું, અને પછી તે જ ભસ્મથી શંખની ઉત્પત્તિ થઈ ! આ જ કારણને લીધે શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે શ્રીહરિ વિષ્ણુની જેમ શિવજીને ક્યારેય શંખથી જળ અર્પણ ન કરવું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

નારિયેળનું પાણી ન ચઢાવો મહેશ્વરને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનો મહિમા છે. પણ, નારિયેળના પાણી વડે તેમનો ક્યારેય અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને લક્ષ્મી સ્વરૂપ પણ માનવામાં આવે છે. એટલે જ શિવપૂજામાં ક્યારેય નારિયેળના જળનો પ્રયોગ નથી થતો.

તુલસીના પાનનો નિષેધ તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં અત્યંત ફળદાયી મનાય છે. પરંતુ, આપણે જ્યારે વાત કરતા હોઈએ ભગવાન શિવની, તો તેમની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે. પ્રચલિત કથા અનુસાર ભગવાન શિવે જાલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જાલંધરની પત્ની વૃંદા જ તુલસીનો છોડ બની હતી. આ કારણે વૃંદાને, એટલે કે તુલસીના પાનને ભગવાન શિવની પૂજામાં ઉપયોગમાં નથી લેવામાં આવતું.

જનોઈ અર્પણ ન કરો રુદ્ર મહાલય તંત્રશાસ્ત્ર અનુસાર શિવલિંગને ક્યારેય ભૂલથી પણ જનોઈ અર્પણ ન કરવી જોઈએ. નહીંતર, શિવજીના ભયાનક ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે. શિવલિંગને સફેદ વસ્ત્ર અર્પણ કરવાનો મહિમા છે, પરંતુ, જનોઈ નહીં. ભગવાન ભોળાનાથના મૂર્તિ સ્વરૂપને જનોઈ અર્પણ કરી શકાય છે. પણ, કહે છે કે શિવલિંગને તો ભૂલમાં પણ જનોઈ અર્પણ ન કરવી.

કેતકીનું ફૂલ ન ચઢાવો પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીને અસત્ય બોલવામાં સાથ આપ્યો હતો. જેના કારણે નારાજ થઈને ભોળાનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો કે તે પૂજામાં ક્યારેય તેનો સ્વીકાર નહીં કરે. આ શ્રાપ બાદ શિવજીને કેતકીનું પુષ્પ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે.

કુમકુમ, સિંદૂર અર્પણ ન કરો સિંદૂર સૌભાગ્યવતી સ્ત્રીઓનું ઘરેણું માનવામાં આવે છે. સિંદૂર કે કુમકુમ હિંદુ મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે લગાવે છે. પરંતુ, ભગવાન શિવ તો વિધ્વંસક રૂપ મનાય છે. એટલા માટે શિવલિંગ પર ક્યારેય કુમકુમ નથી ચઢાવવામાં આવતું.

હળદર લગભગ બધા જ દેવી દેવતાઓના પૂજનમાં હળદરનો એક ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ, શિવલિંગ પર હળદર ક્યારેય ન ચઢાવવી જોઈએ. કારણ કે મહિલાઓ તેમની સુંદરતાને વધારવા માટે તેનો ઉપયોગ કરે છે. જ્યારે, શિવજી તો વૈરાગ્યના દેવતા છે. એટલે તેમને હળદર અર્પણ ન કરવી.

ઉલ્લેખનીય છે કે આ બધી જ બાબતો આમ તો પ્રચલિત લૌકિક માન્યતાઓ અને કથાઓ પર આધારિત છે. પણ, કહે છે કે આ વાતોને ધ્યાનમાં રાખીએ તો મહાદોષથી અને રુદ્રના ક્રોધથી બચી શકાય છે.

આ પણ વાંચોઃ ‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા

આ પણ વાંચોઃ શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">