Amazing Facts: Puducherry 16 ઓગષ્ટે મનાવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ, જાણો કેન્દ્ર શાસિત પ્રદેશની રોમાંચક વાતો

પુડુચેરી એ દક્ષિણ ભારતમાં એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેને પોંડિચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુંદર સ્થાપત્ય વિશ્વભરમાં પ્રખ્યાત છે

Amazing Facts: Puducherry 16 ઓગષ્ટે મનાવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ, જાણો કેન્દ્ર શાસિત પ્રદેશની રોમાંચક વાતો
Amazing facts of Puducherry
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 01, 2021 | 4:39 PM

Puducherry : 6 એપ્રિલના રોજ, પુડુચેરી વિધાનસભાની ચૂંટણી 2021 (Puducherry Assembly Elections 2021) માટે 33 માંથી 30 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું છે. ગુરુવારે, પશ્ચિમ બંગાળમાં આઠમા તબક્કાના મતદાન બાદ, બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ સહિતના તમામ 4 રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામો પણ જાહેર કરાયા હતા. એક્ઝિટ પોલનાં પરિણામો બહાર આવ્યાં છે કે આ વખતે AINRC (All India N.R. Congress) ની આગેવાની હેઠળની એનડીએ પુડ્ડુચેરીમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે, આ ફક્ત એક્ઝિટ પોલનાં પરિણામો છે. સ્પષ્ટ મતદાનના પરિણામો માટે આપણે 2 મેની રાહ જોવી પડશે.

પુડુચેરી એ દક્ષિણ ભારતમાં એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેને પોંડિચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુંદર સ્થાપત્ય વિશ્વભરમાં પ્રખ્યાત છે. પુડ્ડુચેરીમાં, તમે ફ્રેન્ચ ડિઝાઇનમાં બાંધાયેલા ઘણા મકાનો જોશો. આ જ કારણ છે કે તમને પુડુચેરીમાં ફ્રાન્સની ઝલક મળશે. પુડુચેરી એક સમયે ફ્રેન્ચ વસાહત હતી, જે તેની સંસ્કૃતિ અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

પુડુચેરી વિશે એવું કહેવામાં આવે છે કે 1673થી, ફ્રેન્ચ લોકોએ અહીં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. ફ્રેન્ચ લોકોને પુડુચેરીમાં તેમના ઘરની જેમ લાગ્યું, તેથી તેઓએ ફ્રેન્ચ સ્થાપત્યને અનુસરીને અહીં મકાનો બનાવવાનું શરૂ કર્યું. આને ધ્યાનમાં રાખીને, પુડુચેરીમાં ફ્રેન્ચ ડિઝાઇનના ઘણા મકાનો હતા અને તે લિટલ ફ્રાંસ તરીકે ઓળખાતું હતું. આવો, હવે તમને પુડુચેરીની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું, જેના વિશે તમે જાણતા નહીં હોવ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

1. પુડુચેરીમાં મોટા ભાગની ઇમારતો સફેદ રંગની છે જેથી તેને વ્હાઇટ ટાઉન પણ કહેવામાં આવે છે.

2. પુદુચેરીમાં ભગવાન શ્રી ગણેશનું એક પ્રાચીન મંદિર છે. મંદિર પાસે ઉભેલા હાથી લોકો પાસેથી સિક્કાઑ રૂપે દક્ષિણા લ્યે છે જેના બદલે તેઓ તેની સૂંઢથી ભક્તોને આશીર્વાદ આપે છે.

3. વર્ષ 1962થી પહેલા પુડુચેરીમાં ફ્રાંસનું શાસન હતું. 1954માં ફ્રાંસ સરકારે પુડુચેરીમાંથી ફ્રાંસના શાસનનો અંત લઈ આવવા જનમત એકઠો કર્યો હતો. પરંતુ પુડુચેરીને ભારતનો આધિકારિક ભાગ બનવામાં 9 વર્ષ જેટલો લાંબો સમયા લાગ્યો. અને 16 ઓગષ્ટ 1962માં ભારતમાં ભળ્યું. અને આજ કારણે પુડુચેરીમાં 15 ઓગષ્ટ કરતાં 16 ઓગષ્ટે સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.

4. પુડુચેરી સમુદ્ર કિનારે વસેલું એક સુંદર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહી ઘણા બધા સુંદર બીચ છે, અહી વર્ષ દરમ્યાન ઘણા બધા પર્યટકો ફરવા માટે આવે છે.

5.  પુડુચેરીમાં કુલ 4 જિલ્લા આવે છે. જેમથી બે જિલ્લા તમિલનાડુથી જોડાયેલા છે અને જ્યારે એક એક જિલ્લો આંધ્ર પ્રદેશ અને કેરલથી જોડાયેલો છે.

6. પુદુચેરીની રાજધાની પુડુચેરી જ છે. પુડુચેરી બંગાળની ખાડીમાં સ્થિત છે અને તેની સીમા તામિલનાડુથી જોડાયેલી છે.

7. પુડુચેરીમાં તામિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી અને ફ્રેંચ ભાષાઓ બોલાય છે. અહિયાં તામિલની સાથે સાથે અંગ્રેજી,ફ્રેંચને પણ આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">