AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો 100 ટકા રકમ પરત મળી શકે, જાણો રૂપિયા રીફંડ મેળવવા માટે શું છે નિયમ

મહત્વની વાત એ છે કે, બેંકમાંથી ફ્રોડ થયેલા રૂપિયા ફક્ત ત્યારે જ પરત મળે છે, જો છેતરપિંડી દરમિયાન તમારા દ્વારા કોઈ બેદરકારી થઈ હોય નહીં. જો સ્કેમર્સ તમને લાલચ આપીને OTP માંગે છે અને પછી રૂપિયા ઉપાડે છે, તો આવી સ્થિતિમાં બેંક તમને રૂપિયા પરત કરશે નહીં.

જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો 100 ટકા રકમ પરત મળી શકે, જાણો રૂપિયા રીફંડ મેળવવા માટે શું છે નિયમ
Cyber Fraud Refund
| Updated on: Nov 08, 2023 | 2:25 PM
Share

સાયબર ક્રાઈમ કરનારાઓની નજર લોકોના બેંક ખાતા પર હોય છે. તમારી એક નાની ભૂલથી મહેનતની કમાણી થોડી જ વારમાં ચોરાઈ જાય છે. ઘણી વખત લોકોની ભૂલ ન હોય તો પણ ફ્રોડ થઈ જાય છે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જો તમે નિયત સમય મર્યાદામાંન ફરિયાદ નોંધાવો છો, તો તમને 10 દિવસની અંદર છેતરપિંડી કરાયેલા રૂપિયા પરત મળી જશે.

બેંક તમને રૂપિયા પરત કરશે નહીં

અહીં મહત્વની વાત એ છે કે, બેંકમાંથી ફ્રોડ થયેલા રૂપિયા ફક્ત ત્યારે જ પરત મળે છે, જો છેતરપિંડી દરમિયાન તમારા દ્વારા કોઈ બેદરકારી થઈ હોય નહીં. જો સ્કેમર્સ તમને લાલચ આપીને OTP માંગે છે અને પછી રૂપિયા ઉપાડે છે, તો આવી સ્થિતિમાં બેંક તમને રૂપિયા પરત કરશે નહીં. આ ઉપરાંત જો તમે તમારા ડેબિટ કાર્ડનો પિન નંબર કોઈની સાથે શેર કરો છો, તો બેંક તમને કોઈ રકમ પરત આપશે નહીં.

બેંક તમારા રૂપિયા 10 દિવસમાં પરત કરશે

જો ફ્રોડ થયાના 3 દિવસની અંદર ફરિયાદ કરો છો, તો તમને 100 ટકા રકમ પરત મળશે. જો બેંકિંગ સિસ્ટમમા ખામી અથવા ફ્રોડના કારણે તમારા બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવે તો 3 દિવસમાં બેંકમાં ફરિયાદ કરો. જો તમે 3 દિવસમાં ફરિયાદ નોંધાવો છો, તો બેંક તમારા બધા જ રૂપિયા 10 દિવસમાં પરત કરી દેશે.

25,000 રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે

જો તમે છેતરપિંડીના 3 દિવસથી વધારે એટલે કે, 4 થી 7 દિવસમાં ફરિયાદ નોંધાવો છો, આરબીઆઈએ આપેલા નિર્દેશ મૂજબ 25,000 રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે. તમારી સાથે થયેલા ફ્રોડની વધારાની રકમ તમે પરત મેળવી શકો છો. પરંતુ તેના માટે ઘણી શરતો પણ છે. જેના વિશે તમને બેંકમાંથી સંપૂર્ણ માહિતી મળશે.

આ પણ વાંચો : AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

જો તમે 7 દિવસ બાદ ફરિયાદ કરો છો તો ગમે તેટલી રકમની છેતરપિંડી થઈ હોય તમને 10,000 રૂપિયા જ પરત મળી શકે છે. જો તમે છેતરપિંડી દ્વારા તમારા પૈસા ઉપાડ્યાના 7 દિવસ પછી ફરિયાદ કરો છો, તો બેંકમાં છેતરપિંડી માટે રચાયેલ બોર્ડની બેઠક અને તેના અંતિમ નિર્ણય પછી જ રૂપિયા પરત મળે છે. જો આ કેસ સાયબર ક્રાઈમ સાથે સંબંધિત હોય તો પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">