AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય મૂળના Parag Agrawal બનશે Twitterના નવા CEO, જાણો કોણ છે પરાગ અગ્રવાલ

Parag Agrawal 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે અને 2017 થી CTO છે. નવા CEO પરાગ અગ્રવાલનું નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવું છું.

ભારતીય મૂળના Parag Agrawal બનશે Twitterના નવા CEO, જાણો કોણ છે પરાગ અગ્રવાલ
Parag Agarwal will be the new CEO of Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 11:06 PM
Share

Twitter Incના સહ-સ્થાપક અને CEO જેક ડોર્સી (Jack Dorsey)એ સોમવારે રાજીનામું આપ્યું. તેમના રાજીનામાના પત્રમાં જેક ડોર્સીએ જણાવ્યું હતું કે કંપનીમાં સહ-સ્થાપકથી CEO, પછી ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, વચગાળાના-CEO થી CEO સુધી લગભગ 16 વર્ષ કામ કર્યા પછી, મેં નક્કી કર્યું કે આખરે મારા માટે છોડવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ (Parag Agarwal)અમારા CEO બની રહ્યા છે.

ડોર્સી 2022માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી બોર્ડમાં રહેશે. પરાગ અગ્રવાલ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે અને 2017 થી CTO છે. નવા CEO પરાગ અગ્રવાલનું નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવું છું.

જાણો ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલ વિશે

1. પરાગ અગ્રવાલ છેલ્લા એક દાયકાથી ટ્વિટર સાથે જોડાયેલા છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર તરીકે ટ્વિટરમાં જોડાયા અને પછી ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા.

2. CTO તરીકે, પરાગ Twitterની ટેકનીકલ વ્યૂહરચના અને સમગ્ર ઉપભોક્તા, આવક અને વિજ્ઞાન ટીમોમાં મશીન લર્નિંગ અને AIની દેખરેખ માટે જવાબદાર હતા.

3. ટ્વિટર પહેલા, પરાગ અગ્રવાલે Microsoft, Yahoo અને AT&T લેબ્સ સાથે કામ કર્યું હતું.

4. પરાગ અગ્રવાલે કોમ્પ્યુટર સાયન્સ, IIT બોમ્બેમાં એન્જિનિયરિંગમાં બી.ટેક.નો અભ્યાસ કર્યો અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.  કર્યું.

5. PeopleAI અનુસાર પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ $1.52 મિલિયન છે.

Googleના પેરેન્ટ આલ્ફાબેટમાં સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટમાં સત્ય નડેલાથી લઈને IBMના અગ્રણી અરવિંદ કૃષ્ણ અને Adobe ખાતે શાંતનુ નારાયણ અને પરાગ અગ્રવાલ. વિશ્વની કેટલીક ટોચની ટેક કંપનીઓનું નેતૃત્વ કરતા ભારતીય મૂળના CEOની લાંબી યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">