ફોનને આખી રાત ચાર્જ પર મુકવો, 100% ચાર્જ કર્યા પછી પણ ફોનને ચાર્જ પર છોડી દેવો, ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવો. ચોક્કસપણે આપણામાંથી અડધાથી વધુ આ બધી વસ્તુઓ કરી રહ્યા હશે. આજકાલ લોકો ફોનને લઈને એટલા પરેશાન છે કે જ્યારે બેટરી ખતમ થઈ જાય છે તો તરત જ તેને ચાર્જ પર લગાવી દે છે. કેટલાક સ્ટડીમાં આવી ચોંકાવનારી બાબતો સામે આવી છે, જેને જોઈને એવું લાગે છે કે લગભગ 90% લોકો એવા હોવા જોઈએ જે ફોનને ખોટી રીતે ચાર્જ કરી રહ્યા છે, જેના કારણે બેટરી લાઈફ પર ખરાબ અસર પડી રહી છે.
આ પણ વાંચો: Smartphone Charging Tips: શું તમે પણ આ રીતે ચાર્જ કરો છો સ્માર્ટફોન? થઈ શકે છે મોટું નુકસાન
તમારા સ્માર્ટફોનની લિથિયમ-આર્યન બેટરી વધુ સમય સુધી ટકી રહે તે માટે, તેને સંપૂર્ણપણે ખાલી ન થવા દો. જો તમે લિથિયમ-આયન બેટરીને ઝીરો પર ખાલી કરો છો તો તમે વાસ્તવમાં તેની ક્ષમતામાં ઘટાડો કરી રહ્યા છો. તેથી સલાહ આપવામાં આવે છે કે તમારો ફોન ડેડ થાય તે પહેલા તેને મેન્યુઅલી બંધ કરી દો.
સ્ટેબલ બેટરી માટે ચાર્જ લેવલ અપર-મિડ-રેન્જમાં છે. બેટરીને 40% અને 80% વચ્ચે ચાર્જ રાખવાનો પ્રયાસ કરો. તેનાથી તેની લાઈફ વધશે. આ એટલા માટે છે કારણ કે ઉચ્ચ વોલ્ટેજ બેટરી ઘણા દબાણમાં હોય છે અને ઓછી % બેટરીની ઈન્ટરનલ મેકેનિઝમને અસર કરી શકે છે.
સ્ટડીથી જાણવા મળ્યુ છે કે ઈલેક્ટ્રોન ટેન્કને ઉપર સુધી ભરવાથી ખરેખર બેટરીને નુકસાન થઈ શકે છે અને તેની લાઈફ ઘટી શકે છે. તમારે દરેક ચાર્જ સાથે બેટરી કેટલી ભરવી જોઈએ, તેના માટે ડિવાઈસ અને ડેટા અલગ અલગય છે, પરંતુ ઓછું હોવુ સારું છે. તમારા ફોનને ક્યારેય 80% ક્ષમતાથી વધુ ચાર્જ કરશો નહીં.
ગરમી અને ઉચ્ચ વોલ્ટેજ લાંબા બેટરી લાઈફના દુશ્મન છે. તમારા ફોનને શક્ય તેટલો ઠંડો રાખવા જોઈએ.
થોડું ચાર્જિંગ પૂરું થતાં જ બેટરીને વારંવાર ચાર્જ કરવાથી તેની લાઈફ ઘટવા લાગે છે. તેથી, જ્યારે બેટરી ચોક્કસ મર્યાદા સુધી ઓછી હોય ત્યારે જ ચાર્જ કરો.
Published On - 8:46 pm, Sat, 18 February 23