ભારતમાં ઝડપી ડિજિટલાઇઝેશનથી જીવન સરળ બન્યું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ વધી છે. સાયબર હેકિંગ (Cyber Fraud)ના રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. હેકર્સ નવી-નવી તરકીબ શોધીને સામાન્ય લોકોને પોતાની છેતરપિંડી (Cyber Crime) નો શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં હેકિંગના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં, ઠગ લિંક અથવા મેસેજ દ્વારા એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.
એનસીઆરબીના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીના 4047 કેસ નોંધાયા છે. આમાંથી મોટા ભાગના મામલા એટીએમ છેતરપિંડીના હતા. જ્યારે બીજા નંબર પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના કેસ હતા. તાજેતરમાં સામે આવેલા છેતરપિંડીના મામલાઓમાં ઠગ સામાન્ય લોકોને વીજ બિલ જમા કરાવવાના નામે મેસેજ અને એસએમએસ દ્વારા લિંક મોકલે છે. આ મેસેજમાં બિલની માહિતી સાથે એક લિંક હોય છે, જેના પર ક્લિક કરીને પૈસા જમા કરવાનું કહેવામાં આવે છે.
આ લિંક વાસ્તવમાં વીજળીનું બિલ વસૂલવાની નથી, પરંતુ હેકર્સ આ લિંક દ્વારા મોબાઈલ હેક કરે છે. આ લિંક પર ક્લિક કરવાથી ખાતામાંથી લોકોના પૈસા કપાઈ જાય છે. આ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે.
હેકર્સ વોટ્સએપ અને એસએમએસ દ્વારા લિંક્સ મોકલીને આ છેતરપિંડી કરે છે. જેના કારણે યુઝર લિંક દ્વારા હેકર્સના જાળામાં ફસાઈ જાય છે અને પોતાની મહેનતની કમાણી ગુમાવે છે. હેકર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો વીજળીનું બિલ તાત્કાલિક નહીં ચૂકવવામાં આવે તો વીજળી કાપવામાં આવશે. સામાન્ય લોકો વિચાર્યા વગર આ લિંક પર ક્લિક કરે છે.
કોઈ પણ મેસેજ કે તેમા મોકલવામાં આવતી લિંક પર ક્યારે પણ ક્લિક ન કરવું તેમજ એટીએમ કે ક્રેડિટ કાર્ડના પીન કે મોબાઈલ ઓટીપી કોઈ પણ સાથે શેર ન કરવા. હેકર્સ કોઈને કોઈ છેતરપિંડી માટે કોઈને કોઈ નવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે હંમેશા આ બાબતોમાં સતર્ક રહેવું અને કોઈ પણ લાલચ કે લોભામણી જાહેરાતમાં આવીને ક્યારે પણ કોઈ QR કોડ પર પેમેન્ટ કરવા કહે તો ન કરવું ભલે તે 1 રૂપિયાનું પણ કેમ ન હોય.